Ambaji મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલન વિધીનો થયો પ્રારંભ, વાંચો સ્ટોરી

બનાસકાંઠા અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલન વિધીનો પ્રારંભ થયો છે,આ પ્રક્ષાલન વિધીમાં મંદિરના વહીવટદાર,સ્ટાફ,પૂજારી અને સોની પરિવાર જોડાયો છે.વર્ષોથી સોની પરિવાર દ્રારા પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે અને માતાજીના આભૂષણોની સફાઈ કરવામાં આવે છે,પ્રક્ષાલન વિધી કરવા પાછળું કારણ એ છે કે,મંદિરની પવિત્રતા જળવાય અને મંદિર સ્વચ્છ રહે.વર્ષ દરમિયાન એકવાર કરાય છે પ્રક્ષાલન વિધિ અંબાજી મંદિરમાં વર્ષમાં એકવાર પ્રક્ષાલન વિધી યોજવામાં આવે છે,વર્ષોથી સોની પરિવાર તેમજ મંદિરના અગ્રણીઓ દ્રારા આ વિધી યોજવામાં આવે છે.માતાજીના મંદિર સહિત ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની કરવામા આવી રહી છે સાફ સફાઈ.આખા વર્ષમા અને ભાદરવી પૂનમના મેળામાં ભકતો મોટી સંખ્યામાં આવતા હોય છે જેને લઈ પવિત્રતા જળવાય માટે પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે.કેવી રીતે કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિ? વર્ષો જૂની પરંપરા મુજબ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ બાદ મંદિરની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવે છે. માતાજીની પૂજા અર્ચનામાં જે સોના ચાંદીના વાસણો વપરાય છે તે અમદાવાદના સોની પરિવાર દ્વારા તેની પણ સાફ-સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષનું એક જ વાર માતાજીનો વિસા યંત્રની બહાર કાઢવામાં આવે છે અને લાખો લોકો આ આ યંત્રના દર્શન કરી ધન્ય બને છે.પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળની ધોવામાં આવે છે. આજે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર આજે પ્રક્ષાલન વિધિના કારણે અંબાજી મંદિર બપોર બાદ બંધ રહેશે અને રાત્રિના સમયે માતાજીની આરતી કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસથી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. જેમાં આરતી સવારે 7:30 થી 8:00, દર્શન સવારે 8:00થી 11:30, રાજભોગ 12:00 કલાકે, દર્શન બપોરે 12:30થી 1:00 અને માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે 9:00 કલાકે રાખવામાં આવ્યો છે.  

Ambaji મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલન વિધીનો થયો પ્રારંભ, વાંચો સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલન વિધીનો પ્રારંભ થયો છે,આ પ્રક્ષાલન વિધીમાં મંદિરના વહીવટદાર,સ્ટાફ,પૂજારી અને સોની પરિવાર જોડાયો છે.વર્ષોથી સોની પરિવાર દ્રારા પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે અને માતાજીના આભૂષણોની સફાઈ કરવામાં આવે છે,પ્રક્ષાલન વિધી કરવા પાછળું કારણ એ છે કે,મંદિરની પવિત્રતા જળવાય અને મંદિર સ્વચ્છ રહે.

વર્ષ દરમિયાન એકવાર કરાય છે પ્રક્ષાલન વિધિ
અંબાજી મંદિરમાં વર્ષમાં એકવાર પ્રક્ષાલન વિધી યોજવામાં આવે છે,વર્ષોથી સોની પરિવાર તેમજ મંદિરના અગ્રણીઓ દ્રારા આ વિધી યોજવામાં આવે છે.માતાજીના મંદિર સહિત ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની કરવામા આવી રહી છે સાફ સફાઈ.આખા વર્ષમા અને ભાદરવી પૂનમના મેળામાં ભકતો મોટી સંખ્યામાં આવતા હોય છે જેને લઈ પવિત્રતા જળવાય માટે પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે.



કેવી રીતે કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિ?
વર્ષો જૂની પરંપરા મુજબ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ બાદ મંદિરની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવે છે. માતાજીની પૂજા અર્ચનામાં જે સોના ચાંદીના વાસણો વપરાય છે તે અમદાવાદના સોની પરિવાર દ્વારા તેની પણ સાફ-સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષનું એક જ વાર માતાજીનો વિસા યંત્રની બહાર કાઢવામાં આવે છે અને લાખો લોકો આ આ યંત્રના દર્શન કરી ધન્ય બને છે.પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળની ધોવામાં આવે છે.
આજે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
આજે પ્રક્ષાલન વિધિના કારણે અંબાજી મંદિર બપોર બાદ બંધ રહેશે અને રાત્રિના સમયે માતાજીની આરતી કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસથી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. જેમાં આરતી સવારે 7:30 થી 8:00, દર્શન સવારે 8:00થી 11:30, રાજભોગ 12:00 કલાકે, દર્શન બપોરે 12:30થી 1:00 અને માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે 9:00 કલાકે રાખવામાં આવ્યો છે.