Morbi News : કારે પલટી મારતા બે સગ્ગા ભાઈના થયા મોત

નેકનાંમથી પડધરી તરફ જતી વખતે કારે મારી પલટી અલ્તાફ હૈદરભાઈ અને સોયબ હૈદરભાઈનુ નિપજયુ મોત ટંકારા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ મોરબી પડધરી રોડ પર કારે અચાનક પલટી મારતા બે સગ્ગા ભાઈના મોત થયા છે,ઘટનાની જાણ થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.મૃતક યુવકો બન્ને સગ્ગા ભાઈ હોવાનું સામે આવ્યું છે.બપોરના સમયે નેકનાંમથી પડધરી તરફ જઈ રહેલ કારે અચાનક પલટી મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.તો બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે. ઘટના સ્થળે મોત બપોરના સમયે પડધરી રોડ પર અચાનક કારે પલટી મારતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા,કારમાંથી બન્ને યુવકોને લોકો બહાર કાઢે તે પહેલા જ તેમના મોત થયા હતા.અચાનક કારે કઈ રીતે પલટી મારી તેને લઈ પણ પોલીસ ચિંતામાં મૂકાઈ છે.પોલીસ દ્વારા પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે,તો બીજી તરફ પોલીસે પણ આસપાસના લોકોના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે. ગઈકાલે અમદાવાદમાં અકસ્માતમાં 10ના મોત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ આકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો,તો પોલીસે પણ આ ઘટનાને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી. મહીસાગરમાં જાનૈયાને નડયો અકસ્માતમહીસાગરમાં વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થતા હતા.ડોટાવાડા પાસે આ અકસ્માત સર્જાયો હતો.તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથધરી હતી.

Morbi News :  કારે પલટી મારતા બે સગ્ગા ભાઈના થયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નેકનાંમથી પડધરી તરફ જતી વખતે કારે મારી પલટી
  • અલ્તાફ હૈદરભાઈ અને સોયબ હૈદરભાઈનુ નિપજયુ મોત
  • ટંકારા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ

મોરબી પડધરી રોડ પર કારે અચાનક પલટી મારતા બે સગ્ગા ભાઈના મોત થયા છે,ઘટનાની જાણ થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.મૃતક યુવકો બન્ને સગ્ગા ભાઈ હોવાનું સામે આવ્યું છે.બપોરના સમયે નેકનાંમથી પડધરી તરફ જઈ રહેલ કારે અચાનક પલટી મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.તો બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.

ઘટના સ્થળે મોત

બપોરના સમયે પડધરી રોડ પર અચાનક કારે પલટી મારતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા,કારમાંથી બન્ને યુવકોને લોકો બહાર કાઢે તે પહેલા જ તેમના મોત થયા હતા.અચાનક કારે કઈ રીતે પલટી મારી તેને લઈ પણ પોલીસ ચિંતામાં મૂકાઈ છે.પોલીસ દ્વારા પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે,તો બીજી તરફ પોલીસે પણ આસપાસના લોકોના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે.

ગઈકાલે અમદાવાદમાં અકસ્માતમાં 10ના મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ આકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો,તો પોલીસે પણ આ ઘટનાને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી.

મહીસાગરમાં જાનૈયાને નડયો અકસ્માત

મહીસાગરમાં વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થતા હતા.ડોટાવાડા પાસે આ અકસ્માત સર્જાયો હતો.તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથધરી હતી.