Junagadh: ભવનાથ મંદિરમાં મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો, વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું

Aug 1, 2025 - 19:30
Junagadh: ભવનાથ મંદિરમાં મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો, વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. સરકારી અને વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મંદિરમાં વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું છે. મહેશગીરી બાપુએ સરકાર અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. તેમણે થોડા સમય પહેલાં લીધેલા સંકલ્પને પૂર્ણ કર્યો હતો.

ભવનાથ મંદિરમાં મહંત પદ વિવાદનો અંત 

આજથી ભવનાથ મંદિર માં વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું છે જેને લઈને મહેશ ગીરીબાપુ કરેલો સંકલ્પ પૂર્ણ કર્યો હતો. હરીગીરીની મહંત પદ પરથી હકાલપટ્ટી થતાં જ ભવનાથ મંદિરે જલાભિષેક કર્યો હતો. ત્યારબાદ તેમણે બ્રહ્મલીન તનસુખગીરી બાપુની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને આ સમયે તેઓ ખૂબ ભાવુક થયા હતા. થોડા સમય પહેલાં જ્યારે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા, ત્યારે આ વિવાદ શરૂ થયો હતો.

 મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા ત્યારે વિવાદ શરૂ થયો 

તે સમયે મહેશ ગીરી બાપુએ સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી ગેરરીતિ આચરનાર હરીગીરીને ભવનાથમાંથી દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ ભવનાથ મંદિરના દર્શન નહીં કરે અને તનસુખગીરી બાપુની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ નહીં કરે. ગઈકાલે હરીગીરીની મહંત તરીકેની સમય મર્યાદા પૂર્ણ થતાં તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી, જેના કારણે મહેશ ગીરી બાપુએ પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0