Junagadhમાં આઈસ્ક્રીમ પાર્લરમાંથી ખરીદેલી કુલ્ફીમાંથી નીકળી મૃત ઈયળ, ગ્રાહકે ફરિયાદ નોંધાવી

પ્રસાદમાથી જીવાત,અનાજમાંથી જીવાત હવે આઈસ્ક્રીમમાંથી પણ ઈયળ નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે.જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર આવેલી આઈસ્ક્રીમ પાર્લરમાં કુલ્ફીમાંથી મૃત ઈયળ નીકળતા ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે.પાલિકા વિભાગે સમગ્ર ઘટનાને લઈ તપાસ તેજ કરી છે.અને દુકાનમાં રહેલા અન્ય આઈસક્રીમની પ્રોડકટમાં તપાસ કરી છે. કસ્ટમરકેરમાં કરી ફરિયાદ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ મોવિયા આઈસ્ક્રીમની દુકાનમાં ગત મોડી રાત્રે વેરાવળના વકીલ રામભાઈ બામણીયા પોતાના પરિવાર સાથે ગરબા પૂરા થતા આઈસ્ક્રીમ ખાવા ગયા હતા.ત્યાં તેમણે જામુન ફ્લેવરની મોવિયા કંપનીની કુલ્ફી ખરીદ કરી હતી કુલ્ફી ખાતા તેમાંથી મૃત ઈયળ નીકળી હતી જેને લઈને વકીલ રામભાઈ બાંભણિયાએ સ્ટોરના માલિક તેમજ સ્ટોર કીપર ને આ ફરિયાદ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ ફરિયાદ કરી જેથી સ્ટોર કીપર દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તેમની જ મોવિયા કંપનીની ગુલ્ફી માંથી મૃત ઈયર નીકળતા તેમને ગ્રાહક પાસે માફી માગી હતી અને એટલું જ નહીં ગ્રાહકે આ બાબતની જાણ મોવિયા કસ્ટમર કેરમાં કરી હતી.કસ્ટમર કેર દ્વારા પણ ગ્રાહક રામભાઈ બાંભણિયાની માફી માગી સ્વીકાર કર્યો હતો કે તેમની કંપનીની ગુલ્ફીમાંથી જીવાત નીકળી હતી.આ બાબતને લઈને રામભાઈ બામણીયાએ પોલીસને વિશ્વાસમાં લઈ આવ્યા હતા અને આ બાબતમાં તેમણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ ફરિયાદ કરી છે. ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે. ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.

Junagadhમાં આઈસ્ક્રીમ પાર્લરમાંથી ખરીદેલી કુલ્ફીમાંથી નીકળી મૃત ઈયળ, ગ્રાહકે ફરિયાદ નોંધાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રસાદમાથી જીવાત,અનાજમાંથી જીવાત હવે આઈસ્ક્રીમમાંથી પણ ઈયળ નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે.જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર આવેલી આઈસ્ક્રીમ પાર્લરમાં કુલ્ફીમાંથી મૃત ઈયળ નીકળતા ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે.પાલિકા વિભાગે સમગ્ર ઘટનાને લઈ તપાસ તેજ કરી છે.અને દુકાનમાં રહેલા અન્ય આઈસક્રીમની પ્રોડકટમાં તપાસ કરી છે.

કસ્ટમરકેરમાં કરી ફરિયાદ

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ મોવિયા આઈસ્ક્રીમની દુકાનમાં ગત મોડી રાત્રે વેરાવળના વકીલ રામભાઈ બામણીયા પોતાના પરિવાર સાથે ગરબા પૂરા થતા આઈસ્ક્રીમ ખાવા ગયા હતા.ત્યાં તેમણે જામુન ફ્લેવરની મોવિયા કંપનીની કુલ્ફી ખરીદ કરી હતી કુલ્ફી ખાતા તેમાંથી મૃત ઈયળ નીકળી હતી જેને લઈને વકીલ રામભાઈ બાંભણિયાએ સ્ટોરના માલિક તેમજ સ્ટોર કીપર ને આ ફરિયાદ કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ ફરિયાદ કરી

જેથી સ્ટોર કીપર દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તેમની જ મોવિયા કંપનીની ગુલ્ફી માંથી મૃત ઈયર નીકળતા તેમને ગ્રાહક પાસે માફી માગી હતી અને એટલું જ નહીં ગ્રાહકે આ બાબતની જાણ મોવિયા કસ્ટમર કેરમાં કરી હતી.કસ્ટમર કેર દ્વારા પણ ગ્રાહક રામભાઈ બાંભણિયાની માફી માગી સ્વીકાર કર્યો હતો કે તેમની કંપનીની ગુલ્ફીમાંથી જીવાત નીકળી હતી.આ બાબતને લઈને રામભાઈ બામણીયાએ પોલીસને વિશ્વાસમાં લઈ આવ્યા હતા અને આ બાબતમાં તેમણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ ફરિયાદ કરી છે.

ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની

જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.