Gujarat ST: ભાઈને રાખડી બાંધવાની ચિંતા નહીં,GSRTCએ કરી બહેનો માટે ખાસ સુવિધા

17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડીવિઝનમાંથી એક્સ્ટ્રા ટ્રીપોનું કરાશે સંચાલન રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને પહોંચી વળવા એસ.ટી નિગમનું આયોજન ઓગસ્ટ મહિનામાં સૌછી વધુ તહેવારો આવતા હોય છે.ખાસ કરીને સાતમ-આઠમ,જનમાષ્ટમી,રક્ષાબંધનનો પર્વ આવતો હોય છે,મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ ના પડે તેને લઈ જીએસઆરટીસી દ્રારા વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે, 6500 બસોની વધારાની ટ્રીપ દોડાવાશે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે. તહેવારોમા મુસાફરોને વિશેષ સેવા મળશે ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો. દિવાળીના સમયે પણ દોડાવાય છે વિશેષ બસો દિવાળીના સમયમાં પણ એસટી વિભાગ દ્રારા વિશેષ બસો દોડાવવામાં આવે છે,એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે તે માટે આ બસો દોડાવવામાં આવે છે,વધારાની બસો દોડાવવાથી એસટી વિભાગને સારી આવક થાય છે,સાથે સાથે મુસાફરોને પણ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો નથી,ઘણી વાર ખાનગી વાહનો મુસાફરો પાસેથી વધુ ભાડુ લઈ ગેરફાયદો ઉઠાવતા હોય છે.ત્યારે એસટી વિભાગના આ નિર્ણયથી મુસાફરોમાં પણ ખુશી જોવા મળી છે.

Gujarat ST: ભાઈને રાખડી બાંધવાની ચિંતા નહીં,GSRTCએ કરી બહેનો માટે ખાસ સુવિધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે
  • અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડીવિઝનમાંથી એક્સ્ટ્રા ટ્રીપોનું કરાશે સંચાલન
  • રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને પહોંચી વળવા એસ.ટી નિગમનું આયોજન

ઓગસ્ટ મહિનામાં સૌછી વધુ તહેવારો આવતા હોય છે.ખાસ કરીને સાતમ-આઠમ,જનમાષ્ટમી,રક્ષાબંધનનો પર્વ આવતો હોય છે,મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ ના પડે તેને લઈ જીએસઆરટીસી દ્રારા વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે,

6500 બસોની વધારાની ટ્રીપ દોડાવાશે

સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે.

તહેવારોમા મુસાફરોને વિશેષ સેવા મળશે

ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો.

દિવાળીના સમયે પણ દોડાવાય છે વિશેષ બસો

દિવાળીના સમયમાં પણ એસટી વિભાગ દ્રારા વિશેષ બસો દોડાવવામાં આવે છે,એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે તે માટે આ બસો દોડાવવામાં આવે છે,વધારાની બસો દોડાવવાથી એસટી વિભાગને સારી આવક થાય છે,સાથે સાથે મુસાફરોને પણ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો નથી,ઘણી વાર ખાનગી વાહનો મુસાફરો પાસેથી વધુ ભાડુ લઈ ગેરફાયદો ઉઠાવતા હોય છે.ત્યારે એસટી વિભાગના આ નિર્ણયથી મુસાફરોમાં પણ ખુશી જોવા મળી છે.