Gujarat Palika Election 2025 : સુરેન્દ્રનગરના થાનગઢમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે કર્યુ મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આજે વહેલી સવાર થી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે થાનગઢમાં કર્યુ મતદાન
જિલ્લાના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતેના મતદાન બૂથ ખાતે વહેલી સવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દરેક મતદાર પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી દેશ પ્રત્યેની નૈતિક ફરજ અદા કરે તે માટે મતદારોને મતદાન માટે અપીલ કરતા કહ્યું હતું કે, “લોકતંત્રને ધબકતું રાખવા ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે દરેકે મતદાનની પવિત્ર ફરજ બજાવી સહભાગી થવું જોઈએ. સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે ત્યારે થોડી મીનીટો દેશ માટે કાઢી અવશ્ય મતદાન કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર
એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
What's Your Reaction?






