Rajkot અગ્નિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, હાઇકોર્ટે 3 આરોપીઓના જામીન કર્યા મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ TRP અગ્નિકાંડને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે TRP અગ્નિકાંડ મામલે 3 આરોપીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે અન્ય સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહ, કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે.
રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો, મહિલાઓ સહિત 27 લોકો મોત થયા હતા, જે બાદ પોલિસે ગેમ ઝોનનાં માલિક અને મનપા ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપીઓએ જામીન અરજી કરી હતી, જોકે ગુજરાત હાઇકોર્ટે 3 આરોપીઓને જામીન આપ્યા છે, જ્યારે અન્ય આરોપી સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહના જામીન નામંજૂર કર્યા છે. આ સાથે કિરીટસિંહ જાડેજાના જામીન પણ કોર્ટે ફગાવ્યા છે.
રાજકોટ નાના મવા રોડ પર આવેલ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપીઓએ ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે કેસ ચાલ્યો હતો. જેમાં ગેમ ઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાના વકીલ દ્વારા આરોપીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટે ત્રણ આરોપીઓના જમીન મંજૂર કર્યા છે. ATP રાજેશ મકવાણા, ગૌતમ જોશી, જયદીપ ચોધરીના જમીન મંજૂર કરવામાં આવ્યા છે. એમ ડી સાગઠીયા, ઈલેશ ખેર અને અશોકસિંહ તેમજ કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે.
What's Your Reaction?






