Gandhinagar: ગુજરાતના સાત IASની વિકલાંગતા ચકાસવા DOPT કેમ પગલાં લેતું નથી

કેન્દ્રના DOPTની કામગીરી શંકાના દાયરામાં : 4 IASની વિકલાંગતા શંકાસ્પદ હોવાની ચર્ચારાજ્યના 7 પૈકી કેટલાક આઇએએસની વિકલાંગતા શંકા પ્રેરક છે IASઅધિકારીઓ સામે તપાસ કરવાનો DOPTનો ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસને આદેશ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ- ડીઓપીટીએ બોગસ વિકલાંગતા સર્ટિફિકેટના કારણે મહારાષ્ટ્ર કેડરના પૂજા ખેડકરનું આઇએએસ નોમિનેશન રદ કર્યું અને તેની સામે કેસ દાખલ કર્યો છે અને આવી જ રીતે શંકાસ્પદ વિકલાંગતા સર્ટિફિકેટ રજૂ કરનારા કેટલાંક આઇએએસ અધિકારીઓ સામે તપાસ કરવાનો એણે ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસને આદેશ કર્યો છે ત્યારે વિકલાંગતા સર્ટિફિકેટના આધારે વિકલાંગ ક્વૉટામાં આઇએએસ થયેલા ગુજરાતના 7 આઇએએસ સામે ડીઓપીટીનું તંત્ર તપાસનો હુકમ કેમ નથી કરતું એ બાબત તપાસ માગી લે છે, કેમ કે રાજ્યના 7 પૈકી કેટલાક આઇએએસની વિકલાંગતા શંકા પ્રેરક છે. રાજ્યના જે 7 અધિકારીઓ વિકલાંગના ક્વૉટામાં આઇએએસ થયેલા છે તેમાં કેન્દ્રના સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સોનલ મિશ્રા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીના એમડી મનીષકુમાર બંસલ, ગીર-સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકર, દાહોદના પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર અમોલ અવાટે, કેન્દ્રના હાઉસિંગ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી રવિકુમાર અરોરા તથા સાબરકાંઠાના પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર જયંત કિશોર મંકાલે સમાવિષ્ટ છે. આ પૈકી રવિ અરોરા અને જયંત મંકાલેની આંખના વિઝનને સંબંધિત તથા મનીષકુમાર બંસલની પોલિયોને સંબંધિત વિકલાંગતા જેન્યુઇન હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સંજોગોમાં બાકીના ચાર અધિકારીઓની વિકલાંગતા તપાસવાનો ડીઓપીટીએ હુકમ કરવો જોઈએ, એવું અધિકારી વર્તુળો જણાવે છે. ડીઓપીટીએ અમુક અધિકારીઓની તપાસનો જે હુકમ કરેલો છે, તેમાં આ અધિકારીઓની વિકલાંગતા ઝીણવટભરી રીતે ચકાસી કન્ફર્મ કરવા માટે નવી દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ તથા એઇમ્સ હૉસ્પિટલને જણાવ્યું છે. આવી રીતે રાજ્યના અધિકારીઓની તપાસ થાય તે ઉચિત છે.

Gandhinagar: ગુજરાતના સાત IASની વિકલાંગતા ચકાસવા DOPT કેમ પગલાં લેતું નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેન્દ્રના DOPTની કામગીરી શંકાના દાયરામાં : 4 IASની વિકલાંગતા શંકાસ્પદ હોવાની ચર્ચા
  • રાજ્યના 7 પૈકી કેટલાક આઇએએસની વિકલાંગતા શંકા પ્રેરક છે
  • IASઅધિકારીઓ સામે તપાસ કરવાનો DOPTનો ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસને આદેશ

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ- ડીઓપીટીએ બોગસ વિકલાંગતા સર્ટિફિકેટના કારણે મહારાષ્ટ્ર કેડરના પૂજા ખેડકરનું આઇએએસ નોમિનેશન રદ કર્યું અને તેની સામે કેસ દાખલ કર્યો છે અને આવી જ રીતે શંકાસ્પદ વિકલાંગતા સર્ટિફિકેટ રજૂ કરનારા કેટલાંક આઇએએસ અધિકારીઓ સામે તપાસ કરવાનો એણે ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસને આદેશ કર્યો છે

ત્યારે વિકલાંગતા સર્ટિફિકેટના આધારે વિકલાંગ ક્વૉટામાં આઇએએસ થયેલા ગુજરાતના 7 આઇએએસ સામે ડીઓપીટીનું તંત્ર તપાસનો હુકમ કેમ નથી કરતું એ બાબત તપાસ માગી લે છે, કેમ કે રાજ્યના 7 પૈકી કેટલાક આઇએએસની વિકલાંગતા શંકા પ્રેરક છે.

રાજ્યના જે 7 અધિકારીઓ વિકલાંગના ક્વૉટામાં આઇએએસ થયેલા છે તેમાં કેન્દ્રના સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સોનલ મિશ્રા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીના એમડી મનીષકુમાર બંસલ, ગીર-સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકર, દાહોદના પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર અમોલ અવાટે, કેન્દ્રના હાઉસિંગ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી રવિકુમાર અરોરા તથા સાબરકાંઠાના પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર જયંત કિશોર મંકાલે સમાવિષ્ટ છે. આ પૈકી રવિ અરોરા અને જયંત મંકાલેની આંખના વિઝનને સંબંધિત તથા મનીષકુમાર બંસલની પોલિયોને સંબંધિત વિકલાંગતા જેન્યુઇન હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સંજોગોમાં બાકીના ચાર અધિકારીઓની વિકલાંગતા તપાસવાનો ડીઓપીટીએ હુકમ કરવો જોઈએ, એવું અધિકારી વર્તુળો જણાવે છે.

ડીઓપીટીએ અમુક અધિકારીઓની તપાસનો જે હુકમ કરેલો છે, તેમાં આ અધિકારીઓની વિકલાંગતા ઝીણવટભરી રીતે ચકાસી કન્ફર્મ કરવા માટે નવી દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ તથા એઇમ્સ હૉસ્પિટલને જણાવ્યું છે. આવી રીતે રાજ્યના અધિકારીઓની તપાસ થાય તે ઉચિત છે.