Dahod News: મૃતકના આત્માને ઘરે લઈ જવા મધ્યપ્રદેશનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો, જાહેરમાં ભૂવાએ ધૂણીને તાંત્રિક વિધિ કરી

Nov 2, 2025 - 17:00
Dahod News: મૃતકના આત્માને ઘરે લઈ જવા મધ્યપ્રદેશનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો, જાહેરમાં ભૂવાએ ધૂણીને તાંત્રિક વિધિ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. તાંત્રિક વિધિ કરીને રોગ મટાડવા અંગેના બનાવો હોય કે પછી પ્રેમ સંબંધના બનાવો હોય રાજ્યમાં લોકો અંધશ્રદ્ધામાં ડૂબ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે મધ્યપ્રદેશનો એક પરિવાર મૃતકની આત્મા લેવા માટે 90 કિ.મી દૂર દાહોદ આવ્યો હતો.દાહોદ થી 90 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભોલાસા ગામના એક મૃતક યુવકની આત્મા હજી પણ દવાખાનામાં ભટકતી હોવાની દ્રઢ માન્યતા સાથે તેના સ્વજનો એક તાંત્રિક ભુવાને લઈને દાહોદ પહોંચ્યા હતા અને ખુલ્લેઆમ વિધિ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય સર્જાયું હતું.

તાંત્રિક ભુવો જાહેરમાં ધૂણતો જોવા મળ્યો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના ભોલાસા ગામના યુવકને અકસ્માત નડ્યો હતો. જેથી તેને ગંભીર હાલતમાં સ્ટેશન રોડથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેના અંતિમ સંસ્કાર થયા બાદ પણ તેનો પરિવાર એવું માનતો હતો કે, તેની આત્મા હજી પણ હોસ્પિટલમાં જ કેદ છે. જે ઘરે પરત આવી જ નથી જેથી તેનો મોક્ષ અટકી ગયો છે. જેથી અટકેલી આત્માને મુક્ત કરી તેને ઘરે લઈ જવા માટે પરિવારજનોએ તાંત્રિકનો સહારો લીધો હતો. તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને જાહેરમાં તાંત્રિક વિધિ શરૂ કરી હતી. તાંત્રિક ભુવો જાહેરમાં ધૂણતો જોવા મળ્યો હતો.

સફેદ કપડામાં આત્માને બાંધી લીધી હોવાનો ડોળ કર્યો

આ તાંત્રિકે ધૂણતા ધૂણતા એક સફેદ કપડામાં આત્માને બાંધી લીધી હોવાનો ડોળ કર્યો હતો. ત્યાર બાદ આ કપડુ લઈને તેણે પરિવારને ચાલવાનો ઈશારો કર્યો હતો. પરિવારજનો પણ આ ભુવાને લઈને પોતાના વાહનમાં બેસીને આત્માને ઘરે લઈ જવા રવાના થયા હતાં. એક નિવૃત્ત DYSP અને આદિવાસી સમાજના આગેવાન નગરસિંહ પલાસ દ્વારા આ બાબતે લોકોમાં શિક્ષણ અને લોકજાગૃતિનો અભાવ હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના એક કર્મચારીએ કહ્યું હતું કે, દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર વખતે મૃત્યુ પામેલા યુવકની આત્મા લેવા 13 જૂન 2025ના રોજ હોસ્પિટલના દરવાજે એક ભુવાએ વિધિ કરી હતી. ભુવાના આદર્શ મુજબ આત્મા દ્વારા કેરી અને ગુટકાની પડી કે જેવી ચીજ વસ્તુઓ પણ માંગતા તેને અર્પણ કરવામાં આવી હતી તે પરિવાર પણ મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારનો જ હતો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0