Botad News: સમઢીયાળાના તળાવમાં ડૂબવાથી બરવાળાના 2 યુવકોના મોત

બરવાળાથી 4 યુવકો ન્હાવા આવ્યા હતા2 યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત બંન્ને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે, અનેક લોકો હીટવેવથી રાહત મેળવવા માટે નદી તળાવોમાં ન્હાવા ની મજા લેતા હોય છે જોકે ઘણીવાર લોકોની આ મજા તેમના માટે મોટી સજા બની જતી હોય છે. આવા જ કઈક દ્રશ્યો જોવા મળ્યા છે બોટાદમાં જ્યાં એક ગામના તળાવમાં ન્હાવા પડેલા યુવકોના પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયા છે. વાત છે બોટાદના સમઢીયાળા નંબર-2 ગામની જ્યાં તળાવમાં ડૂબી જવાને કારણે બે યુવકોના મોત થયા છે. સમઢીયાળા ગામે તળાવમાં બરવાળા થી 4 યુવકો ન્હાવા માટે આવ્યા હતા. બે યુવકો તળાવમાં ન્હાવા પડ્યા હતા જ્યારે અન્ય બે યુવકો તળાવની બહાર હતા. જોકે, તળાવના પાણીમાં ન્હાવા માટે કુદેલ બંને યુવકો જોતજોતામાં તો પાણીમાં ગાકાવ થઈ ગયા હતા. તળાવમાં ન્હાવા પડેલા બંને યુવકોના પાણીમાં ડુબી જવાથી થયા મોત. બંને મૃતકોની ઓળખ અજય ગભાભાઈ મીર અને ભદ્રીક રમેશભાઈ બાવળીયા તરીકે થઈ છે. બંને યુવકો બરવાળાના હતા જેમની ઉંમર 18 હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં બોટાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોચી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડયા હતા.

Botad News: સમઢીયાળાના તળાવમાં ડૂબવાથી બરવાળાના 2 યુવકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બરવાળાથી 4 યુવકો ન્હાવા આવ્યા હતા
  • 2 યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત
  • બંન્ને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા

છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે, અનેક લોકો હીટવેવથી રાહત મેળવવા માટે નદી તળાવોમાં ન્હાવા ની મજા લેતા હોય છે જોકે ઘણીવાર લોકોની આ મજા તેમના માટે મોટી સજા બની જતી હોય છે. આવા જ કઈક દ્રશ્યો જોવા મળ્યા છે બોટાદમાં જ્યાં એક ગામના તળાવમાં ન્હાવા પડેલા યુવકોના પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયા છે.


વાત છે બોટાદના સમઢીયાળા નંબર-2 ગામની જ્યાં તળાવમાં ડૂબી જવાને કારણે બે યુવકોના મોત થયા છે. સમઢીયાળા ગામે તળાવમાં બરવાળા થી 4 યુવકો ન્હાવા માટે આવ્યા હતા. બે યુવકો તળાવમાં ન્હાવા પડ્યા હતા જ્યારે અન્ય બે યુવકો તળાવની બહાર હતા. જોકે, તળાવના પાણીમાં ન્હાવા માટે કુદેલ બંને યુવકો જોતજોતામાં તો પાણીમાં ગાકાવ થઈ ગયા હતા.

તળાવમાં ન્હાવા પડેલા બંને યુવકોના પાણીમાં ડુબી જવાથી થયા મોત. બંને મૃતકોની ઓળખ અજય ગભાભાઈ મીર અને ભદ્રીક રમેશભાઈ બાવળીયા તરીકે થઈ છે. બંને યુવકો બરવાળાના હતા જેમની ઉંમર 18 હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં બોટાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોચી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડયા હતા.