Ahmedabadમાં કોગ્રેસ ઓફીસ પર થયેલ બબાલને લઈ ભાજપના કાર્યકર્તાઓ સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદના કોંગ્રેસ કાર્યલયે બજરંગદળ આવવાના મેસેજ મળતા પોલીસ એલર્ટ એલિસબ્રિજ પોલીસે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની કરી છે ધરપકડ આજે કોગ્રેસના નેતાએ ભાજપના 12 લોકો સામે એલિસબ્રિજ પોલીસમાં નોંધાવી ફરિયાદ 2 જુલાઈએ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે મામલે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સામે ફરિયાદ કરી છે જ્યારે ભાજપે પણ એક ફરિયાદ નોંધાવી છે,આજે કોગ્રેસ દ્રારા ભાજપના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. ધારાસભ્ય શૈલેષ પરમારે 12 લોકો સામે ફરિયાદ નોંધાવી હવે કોંગ્રેસ કાર્યાલયમાં પથ્થરમારો, તોડફોડને લઈને ધારાસભ્ય શૈલેષ પરમારે જ્વલિત મહેતા, ઋત્વિક શ્રૈયાંસ શાહ, ચિંતન લોધા તેમજ અન્ય 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. અગાઉ આ ઘટનામાં એલિસબ્રીજ પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખની કોંગ્રેસના નેતાઓ અને 200 જેટલા કાર્યકરોના ટોળા વિરૂદ્વ ફરિયાદ નોંધી હતી. કાર્યકર્તાઓએ કર્યો હતો વિરોધ બીજી ફરિયાદ પોલીસ પરના હુમલાની નોંધવામાં આવી હતી. જેમાં કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વિરૂદ્વની હતી. જો કે પોલીસે કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરો વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ લીધી નહોતી અને પોલીસ પરના હુમલાની ફરિયાદમાં પણ માત્ર કોંગ્રેસના કાર્યકરોના નામ જ નોંઘ્યા હતા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી જુલાઈએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ પર એક નિવેદન આપ્યું હતું. જેના પર ભારે વિરોધ અને હોબાળો થયો હતો. આ નિવેદન બાદ બીજા દિવસે મંગળવારે (બીજી જુલાઈ)એ અમદાવાદ શહેરના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ એકસ પર કરી હતી પોસ્ટ આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Ahmedabadમાં કોગ્રેસ ઓફીસ પર થયેલ બબાલને લઈ ભાજપના કાર્યકર્તાઓ સામે નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના કોંગ્રેસ કાર્યલયે બજરંગદળ આવવાના મેસેજ મળતા પોલીસ એલર્ટ
  • એલિસબ્રિજ પોલીસે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની કરી છે ધરપકડ
  • આજે કોગ્રેસના નેતાએ ભાજપના 12 લોકો સામે એલિસબ્રિજ પોલીસમાં નોંધાવી ફરિયાદ

2 જુલાઈએ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે મામલે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સામે ફરિયાદ કરી છે જ્યારે ભાજપે પણ એક ફરિયાદ નોંધાવી છે,આજે કોગ્રેસ દ્રારા ભાજપના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ધારાસભ્ય શૈલેષ પરમારે 12 લોકો સામે ફરિયાદ નોંધાવી

હવે કોંગ્રેસ કાર્યાલયમાં પથ્થરમારો, તોડફોડને લઈને ધારાસભ્ય શૈલેષ પરમારે જ્વલિત મહેતા, ઋત્વિક શ્રૈયાંસ શાહ, ચિંતન લોધા તેમજ અન્ય 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. અગાઉ આ ઘટનામાં એલિસબ્રીજ પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખની કોંગ્રેસના નેતાઓ અને 200 જેટલા કાર્યકરોના ટોળા વિરૂદ્વ ફરિયાદ નોંધી હતી.

કાર્યકર્તાઓએ કર્યો હતો વિરોધ

બીજી ફરિયાદ પોલીસ પરના હુમલાની નોંધવામાં આવી હતી. જેમાં કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વિરૂદ્વની હતી. જો કે પોલીસે કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરો વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ લીધી નહોતી અને પોલીસ પરના હુમલાની ફરિયાદમાં પણ માત્ર કોંગ્રેસના કાર્યકરોના નામ જ નોંઘ્યા હતા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી જુલાઈએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ પર એક નિવેદન આપ્યું હતું. જેના પર ભારે વિરોધ અને હોબાળો થયો હતો. આ નિવેદન બાદ બીજા દિવસે મંગળવારે (બીજી જુલાઈ)એ અમદાવાદ શહેરના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો

બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ એકસ પર કરી હતી પોસ્ટ

આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે.

ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા

ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.