Ahmedabadમાં SG હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે ટુ-વ્હીલર ચાલકનું મોત

અજાણ્યા વાહને ટુ-વ્હીલર ચાલકને લીધો અડફેટે મોડી રાત્રે SG હાઈવે પર સર્જાયો અકસ્માત મૃતક અભિષેક જાદવ મૂળ વિસનગરનો રહેવાસી અમદાવાદમાં અકસ્માત થવાની ઘટના સામન્ય બનતી જાય છે,ગઈકાલે પણ થલતેજ પાસે કાર ચાલકે એક પરિવારને અડફેટે લીધો હતો.જેમાં કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું હતુ,ત્યારે ગતમોડી રાત્રે એસજી હાઈવે પર અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતુ,તો એસ.જી ટ્રાફિક પોલીસ વિભાગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. મહેસાણાથી નોકરી માટે અમદાવાદ આવ્યો હતો યુવક મૃતક યુવકની ઉંમર 29 વર્ષ છે અને યુવક મહેસાણાના વિસનગરનો રહેવાસી છે,નોકરી અર્થે તે અમદાવાદ આવ્યો હતો.ત્યારે તે એસજી હાઈવેથી તેના ઘર તરફ જઈ રહ્યો હતો,તે દરમિયાન ફુલ સ્પીડે આવતા કોઈ વાહનચાલકે તેને અડફેટે લેતા તે તેના વાહન પરથી નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે તેનું મોત થયું હતુ.સમગ્ર ઘટનાને લઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વાહનચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,સાથે આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા છે. થલતેજમાં પણ શનિવારે બની અકસ્માતની ઘટના પોશ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. થલતેજમાં આવેલ સાંદીપની સોસાયટી પાસે 16 વર્ષીય કિશોરી સાંજના સમયે નાસ્તો લેવા માટે જઇ રહી હતી. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર ચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં કિશોરીને ગંભીર રીતે ઇજા પહોચી હતી. ઘટનાની જાણ થઇ જતાં આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં. અને સગીર કારચાલકને ઝડપી લીધો હતો. કારમાં અન્ય ત્રણ યુવકો પણ સવાર હતાં. જેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.કિશોરીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી જયા તેમનુ મોત નિપજયું હતું. 30 એપ્રિલ 2024ના રોજ નારોલમાં અકસ્માતની ઘટના અમદાવાદના વિશાલા - નારોલ રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. શાસ્ત્રીબ્રિજથી પીરાણા વચ્ચેના રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. તેમનું નામ પ્રવીણ પ્રજાપતિ (ઉ.વ.63) હતી.

Ahmedabadમાં SG હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે ટુ-વ્હીલર ચાલકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અજાણ્યા વાહને ટુ-વ્હીલર ચાલકને લીધો અડફેટે
  • મોડી રાત્રે SG હાઈવે પર સર્જાયો અકસ્માત
  • મૃતક અભિષેક જાદવ મૂળ વિસનગરનો રહેવાસી

અમદાવાદમાં અકસ્માત થવાની ઘટના સામન્ય બનતી જાય છે,ગઈકાલે પણ થલતેજ પાસે કાર ચાલકે એક પરિવારને અડફેટે લીધો હતો.જેમાં કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું હતુ,ત્યારે ગતમોડી રાત્રે એસજી હાઈવે પર અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતુ,તો એસ.જી ટ્રાફિક પોલીસ વિભાગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

મહેસાણાથી નોકરી માટે અમદાવાદ આવ્યો હતો યુવક

મૃતક યુવકની ઉંમર 29 વર્ષ છે અને યુવક મહેસાણાના વિસનગરનો રહેવાસી છે,નોકરી અર્થે તે અમદાવાદ આવ્યો હતો.ત્યારે તે એસજી હાઈવેથી તેના ઘર તરફ જઈ રહ્યો હતો,તે દરમિયાન ફુલ સ્પીડે આવતા કોઈ વાહનચાલકે તેને અડફેટે લેતા તે તેના વાહન પરથી નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે તેનું મોત થયું હતુ.સમગ્ર ઘટનાને લઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વાહનચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,સાથે આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા છે.


થલતેજમાં પણ શનિવારે બની અકસ્માતની ઘટના

પોશ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. થલતેજમાં આવેલ સાંદીપની સોસાયટી પાસે 16 વર્ષીય કિશોરી સાંજના સમયે નાસ્તો લેવા માટે જઇ રહી હતી. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર ચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં કિશોરીને ગંભીર રીતે ઇજા પહોચી હતી. ઘટનાની જાણ થઇ જતાં આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં. અને સગીર કારચાલકને ઝડપી લીધો હતો. કારમાં અન્ય ત્રણ યુવકો પણ સવાર હતાં. જેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.કિશોરીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી જયા તેમનુ મોત નિપજયું હતું.


30 એપ્રિલ 2024ના રોજ નારોલમાં અકસ્માતની ઘટના

અમદાવાદના વિશાલા - નારોલ રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. શાસ્ત્રીબ્રિજથી પીરાણા વચ્ચેના રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. તેમનું નામ પ્રવીણ પ્રજાપતિ (ઉ.વ.63) હતી.