Ahmedabad :રસ્તા પર વેચાતા લીંબુપાણી-સિકંજીના સેમ્પલ ફેલ,ચોમાસામાં રોગચાળો વકરવાનું આ પણ કારણ

સંદેશે' શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લીંબું પાણી અને સિકંજીના સેમ્પલનું ટેસ્ટિંગ કરાવ્યુંદૂષિત પાણીના સેમ્પલમાં હાર્ડનેસ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે હોવાથી ફેફસાં, પથરી, ન્યુમોનિયા અને અપચો જેવી બીમારીઓ થઇ શકે છે પાણીમાં હાર્ડનેશનું પ્રમાણ વધુ હોવાથી ફેફસાં, પથરી, ન્યૂમોનિયા, અપચો જ્યારે બેક્ટેરિયાનું પ્રમાણ વધતા ઝાડા-ઊલટી તેમજ પેટને સંબંધિત રોગની શક્યતાઓ શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર વેચાતા સિકંજી અને લીંબુ પાણી માટે વપરાતું પાણી દૂષિત હોવાની સાથે તેમાં નાખવામાં આવતાં અન્ય પદાર્થો પણ યોગ્ય ન હોવાની ફરિયાદો ઊઠી હતી. જેને પગલે 'સંદેશ' દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર ઊભી રહેતી લારીઓ પરથી સિકંજીઓ અને લીંબુ શરબતનાં સેમ્પલ લીધા હતાં. આ સેમ્પલનું એલજે યુનિવર્સિટીના MS.cના વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સની દેખરેખ હેઠળ સેમ્પલોના ટેસ્ટ કર્યા હતા, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સિકંજી અને લીંબુ પાણીમાં હાર્ડનેશનું અને બેકેટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. આ અંગે જુદા જુદા ડોક્ટરોનો અભિપ્રાય લેતાં જાણવા મળ્યું હતું કે, પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે હોવાથી ફેફસાં, પથરી, ન્યુમોનિયા અને અપચો જેવી બીમારીઓ થઇ શકે છે. તેમજ બેકટેરિયાના પ્રમાણ પાણીમાં વધારે હોવાથી ઝાડા-ઊલટી તેમજ પેટને સંબંધિત રોગ થવાની શક્યતાઓ વધે છે. એલજે યુનિવર્સિટીના એમએસી સેમેસ્ટરના બાયોટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સ નિકેતન દેશમુખ અને ભાર્ગવી ત્રિવેદીની દેખરેખ હેઠળ સિકંજી અને લીંબુપાણીના જુહાપુરા, કાંકરિયા, મણિનગર, નારોલ બ્રિજ, પ્રહલાદનગર, ગુજરાત યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાંથી સિકંજી અને લીંબુ પાણીના કલેક્ટ કરેલા સેમ્પલોનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં PIનું સ્તર 5.0 થી 6.0 સુધીનું જોવા મળ્યું હતું, જે થોડું એસિડિક સૂચવે છે. આ સાથે હાર્ડનેસ પણ પાણીની ગુણવત્તા માર્ક સુધીનું ન હતું. પાણીમાં હાર્ડનેસ હોવાથી તેનું નિયમિત સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને કિડનીમાં પથરી થઈ શકે છે. તેમજ પાણીમાં DO (ડિસોલ્વ ઓક્સિજન)નું પ્રમાણ ઓછું હોવાથી માણસના શરીરને બગાડે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સામે આવ્યું છેકે, તમામ પાણીના નમૂનાઓ બેક્ટેરિયાથી ભારે દૂષિત છે. આ બેક્ટેરિયાઓને પગલે ઝાડા, ખેંચાણ, ઊબકા, માથાનો દુખાવો વગેરે થઈ શકે છે. જેથી બજારમાં મળતાં સિકંજી અને લીંબુ પાણીમાં વપરાતાં પાણી ચોખ્ખા છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ પીવા તાકિદ કરાઇ છે. મ્યુનિ. દ્વારા સિકંજીના સેમ્પલ લેવામાં ઉદાસીનતા મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના જાહેર માર્ગો પર ઠેર ઠેર સિકંજી અને લીંબુ પાણીની લારીઓનો જમાવડો જોવા મળે છે. જોકે મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા ચકાસણી મુદ્દે ઉદાસીનતા દાખવવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ બેફામ થતાં જોવા મળી રહ્યા છે. લેબમાં પરીક્ષણ દરમિયાન કઈ બાબતો સામે આવી પાણીમાં PH સ્તર 5.0 થી 6.0 સુધીનું છે, જે થોડુંએસિડિક સૂચવે છે, D.O.(ડિસોલ્વ ઓક્સિજન)નું ઓછું પ્રમાણ, પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે જોવા મળ્યુ, પાણીમાં ક્ષારનું વધારે પ્રમાણ, પાણીમાં બેક્ટેરિયા ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યા

Ahmedabad :રસ્તા પર વેચાતા લીંબુપાણી-સિકંજીના સેમ્પલ ફેલ,ચોમાસામાં રોગચાળો વકરવાનું આ પણ કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંદેશે' શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લીંબું પાણી અને સિકંજીના સેમ્પલનું ટેસ્ટિંગ કરાવ્યું
  • દૂષિત પાણીના સેમ્પલમાં હાર્ડનેસ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું
  • પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે હોવાથી ફેફસાં, પથરી, ન્યુમોનિયા અને અપચો જેવી બીમારીઓ થઇ શકે છે

પાણીમાં હાર્ડનેશનું પ્રમાણ વધુ હોવાથી ફેફસાં, પથરી, ન્યૂમોનિયા, અપચો જ્યારે બેક્ટેરિયાનું પ્રમાણ વધતા ઝાડા-ઊલટી તેમજ પેટને સંબંધિત રોગની શક્યતાઓ શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર વેચાતા સિકંજી અને લીંબુ પાણી માટે વપરાતું પાણી દૂષિત હોવાની સાથે તેમાં નાખવામાં આવતાં અન્ય પદાર્થો પણ યોગ્ય ન હોવાની ફરિયાદો ઊઠી હતી.

જેને પગલે 'સંદેશ' દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર ઊભી રહેતી લારીઓ પરથી સિકંજીઓ અને લીંબુ શરબતનાં સેમ્પલ લીધા હતાં. આ સેમ્પલનું એલજે યુનિવર્સિટીના MS.cના વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સની દેખરેખ હેઠળ સેમ્પલોના ટેસ્ટ કર્યા હતા, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સિકંજી અને લીંબુ પાણીમાં હાર્ડનેશનું અને બેકેટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. આ અંગે જુદા જુદા ડોક્ટરોનો અભિપ્રાય લેતાં જાણવા મળ્યું હતું કે, પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે હોવાથી ફેફસાં, પથરી, ન્યુમોનિયા અને અપચો જેવી બીમારીઓ થઇ શકે છે. તેમજ બેકટેરિયાના પ્રમાણ પાણીમાં વધારે હોવાથી ઝાડા-ઊલટી તેમજ પેટને સંબંધિત રોગ થવાની શક્યતાઓ વધે છે.

એલજે યુનિવર્સિટીના એમએસી સેમેસ્ટરના બાયોટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સ નિકેતન દેશમુખ અને ભાર્ગવી ત્રિવેદીની દેખરેખ હેઠળ સિકંજી અને લીંબુપાણીના જુહાપુરા, કાંકરિયા, મણિનગર, નારોલ બ્રિજ, પ્રહલાદનગર, ગુજરાત યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાંથી સિકંજી અને લીંબુ પાણીના કલેક્ટ કરેલા સેમ્પલોનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં PIનું સ્તર 5.0 થી 6.0 સુધીનું જોવા મળ્યું હતું, જે થોડું એસિડિક સૂચવે છે. આ સાથે હાર્ડનેસ પણ પાણીની ગુણવત્તા માર્ક સુધીનું ન હતું. પાણીમાં હાર્ડનેસ હોવાથી તેનું નિયમિત સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને કિડનીમાં પથરી થઈ શકે છે. તેમજ પાણીમાં DO (ડિસોલ્વ ઓક્સિજન)નું પ્રમાણ ઓછું હોવાથી માણસના શરીરને બગાડે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સામે આવ્યું છેકે, તમામ પાણીના નમૂનાઓ બેક્ટેરિયાથી ભારે દૂષિત છે. આ બેક્ટેરિયાઓને પગલે ઝાડા, ખેંચાણ, ઊબકા, માથાનો દુખાવો વગેરે થઈ શકે છે. જેથી બજારમાં મળતાં સિકંજી અને લીંબુ પાણીમાં વપરાતાં પાણી ચોખ્ખા છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ પીવા તાકિદ કરાઇ છે.

મ્યુનિ. દ્વારા સિકંજીના સેમ્પલ લેવામાં ઉદાસીનતા

મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના જાહેર માર્ગો પર ઠેર ઠેર સિકંજી અને લીંબુ પાણીની લારીઓનો જમાવડો જોવા મળે છે. જોકે મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા ચકાસણી મુદ્દે ઉદાસીનતા દાખવવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ બેફામ થતાં જોવા મળી રહ્યા છે.

લેબમાં પરીક્ષણ દરમિયાન કઈ બાબતો સામે આવી

પાણીમાં PH સ્તર 5.0 થી 6.0 સુધીનું છે, જે થોડુંએસિડિક સૂચવે છે, D.O.(ડિસોલ્વ ઓક્સિજન)નું ઓછું પ્રમાણ, પાણીમાં હાર્ડનેસનું પ્રમાણ વધારે જોવા મળ્યુ, પાણીમાં ક્ષારનું વધારે પ્રમાણ, પાણીમાં બેક્ટેરિયા ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યા