Ahmedabad News: સરકારી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ

બંધ રસોડામાં 4 ગેસ સિલિન્ડર જોવા મળ્યાક્યાંક ખુલ્લા વીજવાયરો પણ જોવા મળ્યા OPD વિભાગના ફાયર સિલિન્ડર એક્સપાયર હતારાજકોટના ગોઝારા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ. જેમાં ગેમઝોન સંચાલકો દ્વારા દાખવવામાં આવેલ ફાયર સેફટીની બેદરકારી સૌથી મોટું કારણ સામે આવ્યું. આ ઘટનાને લઈને સરકાર તપાસ કરી રહી છે. તો બીજી બાજુ, આ ઘટના રાજ્યભરના વહીવટી તંત્ર માટે એલાર્મ સમાન સાબિત થઈ અને વહીવટી તંત્ર ફાયર સેફટીને લઈને સભાન થયું અને છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાયર સેફટી વગરના એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ ખાનગી એકમોની સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને ગભીર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અખંડાનંદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હોસ્પિટલ ખાતે ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર સેફટીને લઈને ઘોર બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલ ખાતે ખુલ્લા વીજ વાયરો નજરે પડ્યા હતા તો બંધ રસોડામાં 4 ભરેલા ગેસ સિલિન્ડર જોવા મળ્યા હતા. જે સ્થળે ગેસ સિલિન્ડર મૂકવામાં આવ્યા છે ત્યાં ફાયર સેફટીને લઈને કોઈ જ સુવિધા ઊભી કરવામાં આવી નથી. તો, હોસ્પિટલના OPD ઓપીડી વિભાગમાં ફાયર સેફટીને લઈને હોસ્પિટલ તંત્રની બેદરકારી છતી થઈ ગઈ હતી. OPD વિભાગ ખાતે ફાયર સિલિન્ડર ગત માર્ચમાં જ એક્સપાયાર થઈ ગયા હતા. હોસ્પિટલ સંચાલકોએ 2 દિવસ પહેલા જ આ ફાયર સિલિન્ડર રિફિલ કરાવ્યા હતા. ત્યારે, જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના બને છે તો તેના માટે કોણ જવાબદાર તેવો મોટો પ્રશ્ન ઊભો થાય છે.

Ahmedabad News: સરકારી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બંધ રસોડામાં 4 ગેસ સિલિન્ડર જોવા મળ્યા
  • ક્યાંક ખુલ્લા વીજવાયરો પણ જોવા મળ્યા
  • OPD વિભાગના ફાયર સિલિન્ડર એક્સપાયર હતા

રાજકોટના ગોઝારા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ. જેમાં ગેમઝોન સંચાલકો દ્વારા દાખવવામાં આવેલ ફાયર સેફટીની બેદરકારી સૌથી મોટું કારણ સામે આવ્યું. આ ઘટનાને લઈને સરકાર તપાસ કરી રહી છે. તો બીજી બાજુ, આ ઘટના રાજ્યભરના વહીવટી તંત્ર માટે એલાર્મ સમાન સાબિત થઈ અને વહીવટી તંત્ર ફાયર સેફટીને લઈને સભાન થયું અને છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાયર સેફટી વગરના એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ ખાનગી એકમોની સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને ગભીર બેદરકારી સામે આવી છે.


મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અખંડાનંદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હોસ્પિટલ ખાતે ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર સેફટીને લઈને ઘોર બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલ ખાતે ખુલ્લા વીજ વાયરો નજરે પડ્યા હતા તો બંધ રસોડામાં 4 ભરેલા ગેસ સિલિન્ડર જોવા મળ્યા હતા. જે સ્થળે ગેસ સિલિન્ડર મૂકવામાં આવ્યા છે ત્યાં ફાયર સેફટીને લઈને કોઈ જ સુવિધા ઊભી કરવામાં આવી નથી.


તો, હોસ્પિટલના OPD ઓપીડી વિભાગમાં ફાયર સેફટીને લઈને હોસ્પિટલ તંત્રની બેદરકારી છતી થઈ ગઈ હતી. OPD વિભાગ ખાતે ફાયર સિલિન્ડર ગત માર્ચમાં જ એક્સપાયાર થઈ ગયા હતા. હોસ્પિટલ સંચાલકોએ 2 દિવસ પહેલા જ આ ફાયર સિલિન્ડર રિફિલ કરાવ્યા હતા. ત્યારે, જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના બને છે તો તેના માટે કોણ જવાબદાર તેવો મોટો પ્રશ્ન ઊભો થાય છે.