Ahmedabad News: ફાયર NOC અને સ્ટ્રક્ચરમાં ભૂલ ધરાવતા ગેમઝોન સામે ફરિયાદ

અમદાવાદના અનેક ગેમઝોનમાં સામે આવી હતી ખામીઓ રાજકોટ અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાઇ હતી તપાસ ગોતા, આનંદનગર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદરાજકોટ TRP ગેમઝોનમાં ફાયર સેફટીના અભાવને કારણે લાગેલી આગ બાદ 28 લોકોના મોત થયા. આ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતનું સરકારી તેમજ વહીવટી તંત્ર સફાળું જાગી ગયું અને રાજ્યના તમામ ગેમઝોન ખાતે તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે અમદાવાદના પણ અનેક ગેમઝોન ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાય ગેમઝોન ગેરકાયદેસર તો કેટલાય ગેમઝોન ફાયર સેફટી વગર જ ચાલતા હોવાનું સામે આવ્યું હતું. આવા તમામ ગેમઝોન સામે FIR દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ફન ગ્રિટો, ગેમિંગ ઝોન, ફન કેમ્પસ અને જોય એન્ડ જોય ગેમ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ફાયર સેફટી સહિતની અનેક ખામીઓ સામે આવી હતી જેને લઈને હવે ગેમઝોન માલિકો અને સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે ગેમઝોનમાં ફાયર NOC અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે ગેમઝોન શરૂ કરવા માટે NOC લેવામાં નહોતી આવી. તેમજ, ગેમઝોનના માલિકોએ ગેમઝોન શરૂ કરવા માટે પોલીસ પરવાનો પણ નહોતો લીધો. મહત્વનું છે કે ગોતા, આનંદનગર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગેરકાયદેસર અને જોખમી ગેમઝોન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Ahmedabad News: ફાયર NOC અને સ્ટ્રક્ચરમાં ભૂલ ધરાવતા ગેમઝોન સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના અનેક ગેમઝોનમાં સામે આવી હતી ખામીઓ 
  • રાજકોટ અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાઇ હતી તપાસ 
  • ગોતા, આનંદનગર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

રાજકોટ TRP ગેમઝોનમાં ફાયર સેફટીના અભાવને કારણે લાગેલી આગ બાદ 28 લોકોના મોત થયા. આ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતનું સરકારી તેમજ વહીવટી તંત્ર સફાળું જાગી ગયું અને રાજ્યના તમામ ગેમઝોન ખાતે તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે અમદાવાદના પણ અનેક ગેમઝોન ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાય ગેમઝોન ગેરકાયદેસર તો કેટલાય ગેમઝોન ફાયર સેફટી વગર જ ચાલતા હોવાનું સામે આવ્યું હતું. આવા તમામ ગેમઝોન સામે FIR દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ફન ગ્રિટો, ગેમિંગ ઝોન, ફન કેમ્પસ અને જોય એન્ડ જોય ગેમ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ફાયર સેફટી સહિતની અનેક ખામીઓ સામે આવી હતી જેને લઈને હવે ગેમઝોન માલિકો અને સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે ગેમઝોનમાં ફાયર NOC અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે ગેમઝોન શરૂ કરવા માટે NOC લેવામાં નહોતી આવી. તેમજ, ગેમઝોનના માલિકોએ ગેમઝોન શરૂ કરવા માટે પોલીસ પરવાનો પણ નહોતો લીધો. મહત્વનું છે કે ગોતા, આનંદનગર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગેરકાયદેસર અને જોખમી ગેમઝોન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.