Ahmedabad News: એક તરફ જાતિ પ્રમાણપત્ર મેળવવા લાઈન,એજન્ટો બેફામ

જાતિપ્રમાણ પત્ર લેવું હોય ચૂકવવા પડશે 100થી 3000 રૂ સંદેશ ન્યુઝના સ્ટ્રીગ ઓપરેશનમાં થયો ખુલાસો સંદેશ ન્યુઝે રિયાલિટી ચેક કરતા થયો ખુલાસો ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે જાતિનુ પ્રમાણપત્ર લેવું પડે છે,ત્યારે વિધાર્થીઓએ સુરત,રાજકોટ અને અમદાવાદ એમ અલગ-અલગ જગ્યાઓ પર લાઈનો જોવા મળી છે,બીજી તરફ એજન્ટો આ ભીડનો લાભ લઈ રૂપિયા કમાવવા માટે દોડધામ કરી રહ્યાં છે,અધિકારીનું કહેવું છે કે,અમારા તરફથી કોઈ એજન્ટો રખાયા નથી તેઓ તેમની રીતે રૂપિયા ઉઘરાવી રહ્યાં છે. સરકારી ઓફીસની બહાર ખુરશી નાખી એજન્ટો બેઠા સમગ્ર ઘટનામાં જે વિડીયો છે તેમાં દેખાઈ રહ્યું છે કે એજન્ટો ખુરશી અને ટેબલ નાંખીને રોડ પર બેસી ગયા છે,વિધાર્થીઓને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો આ એજન્ટો રૂપિયા લઈ તેમને મદદ કરી રહ્યાં છે,અધિકારીનું કહેવું છે કે,એજન્ટો કમ્પાઉન્ડની બહાર છે માટે અમે તેમને કઈ બોલી શકતા નથી,તો અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે આવા એજન્ટોથી દૂર રહો. વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી છે. જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં છે. શાહીબાગ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી છે. જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઇ રહી છે. તેમજ આવકનો દાખલો કઢાવવા કતારો લાગી છે. રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી છે. જેમાં ધોરણ 11, 12, કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે. તથા નોન ક્રીમિલેયર, જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે. પહેલી તારીખથી દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે. તેમજ અન્ય સ્થળે પણ આવક, જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવી દાખલા કઢાવવા ઉમટી પડ્યા છે. ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે. જેમાં ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો છે. 3 જ દિવસમાં 4,065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે. જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે. પ્રતિદિન 1 હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે. આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમીનલ સર્ટીની જરૂર પડતી હોય છે. તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે આવે છે.  

Ahmedabad News: એક તરફ જાતિ પ્રમાણપત્ર મેળવવા લાઈન,એજન્ટો બેફામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાતિપ્રમાણ પત્ર લેવું હોય ચૂકવવા પડશે 100થી 3000 રૂ
  • સંદેશ ન્યુઝના સ્ટ્રીગ ઓપરેશનમાં થયો ખુલાસો
  • સંદેશ ન્યુઝે રિયાલિટી ચેક કરતા થયો ખુલાસો

ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે જાતિનુ પ્રમાણપત્ર લેવું પડે છે,ત્યારે વિધાર્થીઓએ સુરત,રાજકોટ અને અમદાવાદ એમ અલગ-અલગ જગ્યાઓ પર લાઈનો જોવા મળી છે,બીજી તરફ એજન્ટો આ ભીડનો લાભ લઈ રૂપિયા કમાવવા માટે દોડધામ કરી રહ્યાં છે,અધિકારીનું કહેવું છે કે,અમારા તરફથી કોઈ એજન્ટો રખાયા નથી તેઓ તેમની રીતે રૂપિયા ઉઘરાવી રહ્યાં છે.

સરકારી ઓફીસની બહાર ખુરશી નાખી એજન્ટો બેઠા

સમગ્ર ઘટનામાં જે વિડીયો છે તેમાં દેખાઈ રહ્યું છે કે એજન્ટો ખુરશી અને ટેબલ નાંખીને રોડ પર બેસી ગયા છે,વિધાર્થીઓને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો આ એજન્ટો રૂપિયા લઈ તેમને મદદ કરી રહ્યાં છે,અધિકારીનું કહેવું છે કે,એજન્ટો કમ્પાઉન્ડની બહાર છે માટે અમે તેમને કઈ બોલી શકતા નથી,તો અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે આવા એજન્ટોથી દૂર રહો.

વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી

વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી છે. જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં છે. શાહીબાગ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી છે. જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઇ રહી છે. તેમજ આવકનો દાખલો કઢાવવા કતારો લાગી છે.

રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી

રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી છે. જેમાં ધોરણ 11, 12, કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે. તથા નોન ક્રીમિલેયર, જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે. પહેલી તારીખથી દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે. તેમજ અન્ય સ્થળે પણ આવક, જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવી દાખલા કઢાવવા ઉમટી પડ્યા છે.

ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો

વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે. જેમાં ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો છે. 3 જ દિવસમાં 4,065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે. જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે. પ્રતિદિન 1 હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે. આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમીનલ સર્ટીની જરૂર પડતી હોય છે. તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે આવે છે.