Ahmedabad પરિણીતાએ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો, પરિવારમાં આક્રંદ છવાયો
અમદાવાદમાં પરિણીતાએ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે,ઝેરી દવા પીધા બાદ માતા-પુત્રનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે.પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીધી છે જેમાં બે બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયારે એક બાળકનું મોત થયું છે,સમગ્ર ઘટનાને લઈ ઓઢવ પોલીસે તપાસ હાથધરી છે. દવા ચોકલેટમાં ભેળવી બાળકોને પીવડાવી ઓઢવમાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં આપઘાત પહેલા પરિણીતાએ સ્યુસાઈડ નોટ લખી હતી જેમા તેણે ઉલ્લેખ કર્યો છે કે,મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી અને કોઈ સામે કાર્યવાહી કરવામાં આવે નહી,ત્યારે પોલીસે આ મામલે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,પતિના હાથે સિંદૂર ન પુરવતા તેવું લખી કર્યું મોત વ્હાલુ,તો ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ નોંધી ફરિયાદ. 09-02-2025ના રોજ અમદાવાદમાં પરિણીતાએ કર્યો આપઘાત અમદાવાદના રીવરફ્રન્ટમાં નિકોલની પરિણીતાએ પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો,આપઘાત પાછળનું કારણ અકબંધ છે અને સાબરમતી વેસ્ટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી હતી અને નદીમાંથી ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢયો છે,પોલીસે માતા વિરુદ્ધ પુત્રની હત્યાનો ગુનો પણ નોંધ્યો છે. આપઘાતના છે આ કારણો ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા. સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે તેમજ ભારતમાં આપઘાત કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મિનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિકસમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.
![Ahmedabad પરિણીતાએ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો, પરિવારમાં આક્રંદ છવાયો](https://epapercdn.sandesh.com/images/2025/02/13/C0SJDHZZpNcwfCX47BPY9IFshttF44QZupROMft0.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પરિણીતાએ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે,ઝેરી દવા પીધા બાદ માતા-પુત્રનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે.પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીધી છે જેમાં બે બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયારે એક બાળકનું મોત થયું છે,સમગ્ર ઘટનાને લઈ ઓઢવ પોલીસે તપાસ હાથધરી છે.
દવા ચોકલેટમાં ભેળવી બાળકોને પીવડાવી
ઓઢવમાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં આપઘાત પહેલા પરિણીતાએ સ્યુસાઈડ નોટ લખી હતી જેમા તેણે ઉલ્લેખ કર્યો છે કે,મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી અને કોઈ સામે કાર્યવાહી કરવામાં આવે નહી,ત્યારે પોલીસે આ મામલે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,પતિના હાથે સિંદૂર ન પુરવતા તેવું લખી કર્યું મોત વ્હાલુ,તો ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ નોંધી ફરિયાદ.
09-02-2025ના રોજ અમદાવાદમાં પરિણીતાએ કર્યો આપઘાત
અમદાવાદના રીવરફ્રન્ટમાં નિકોલની પરિણીતાએ પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો,આપઘાત પાછળનું કારણ અકબંધ છે અને સાબરમતી વેસ્ટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી હતી અને નદીમાંથી ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢયો છે,પોલીસે માતા વિરુદ્ધ પુત્રની હત્યાનો ગુનો પણ નોંધ્યો છે.
આપઘાતના છે આ કારણો
ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા. સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે તેમજ ભારતમાં આપઘાત કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મિનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિકસમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.