રૂપાલાની માફી માંગ્યા છતાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનો ઉગ્ર વિરોધ
વિવાદનો અંત આવ્યો નથી, હજુ શરૂ થયો છેઃ પદ્મિનીબા"ક્ષત્રિય સમાજનો નિર્ણય લેનાર જયરાજસિંહ કોણ?રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધઃ પદ્મિનીબા રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ હવે પરશોત્તમ રૂપાલા સામે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. જેમાં હજી ગોંડલમાં 24 કલાક પહેલાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મીટિંગમાં માફી માગી હતી છતાં પણ વિરોધ ચાલી રહ્યો છે. જેમાં હવે મહિલાઓ દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું અને હજી પણ વિવાદનો અંત આવ્યો નથી તેમ કહેવામાં આવ્યું છે. આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની બેઠક મળી હતી. જેમાં પદ્મિનીબા વાળાની આગેવાનમાં બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ પદ્મિનીબાએ જણાવ્યું કે, વિવાદનો અંત આવ્યો નથી, હજુ શરૂ થયો છે. આ સાથે જ પદ્મિનીબાએ ફરી એકવાર જયરાજસિંહ જાડેજા પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ક્ષત્રિય સમાજનો નિર્ણય લેનાર જયરાજસિંહ કોણ?" ગઈકાલે મિટિંગમાં હાજર હતા તેઓ સિંહ ના લગાવે. હવે અમે સરકાર સામે લડીશું અને ન્યાય મેળવીશું. જે સાથે જ મહિલાઓ દ્વારા રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે હજી પણ ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ ચાલી રહ્યો છે. ટિકિટ રદ કરવાની માંગણી જ્યારે તેમની માંગણી અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, રાજકારણમાં ખોટા લોકો જોડાયેલા છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરીશું. અમે રૂપાલાને માફી નહીં આપીએ. અમારા ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. જેના માટે વિરોધ ચાલું રાખીશું.જે પછી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે પછી સ્થાનિક પોલીસ દ્વારા પૂતળાની આગ પર પાણી નાખવામાં આવ્યું હતું. જે દરમિયાન ત્યાં હાજર ભીડ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં વિરોધ યથાવત્ આ તરફ ગોંડલમાં ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં પણ રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વિવિધ સ્થાનો પર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને ક્લેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, દ્વારકાથી લઈ આણંદ અને વડોદરામાં હજી પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું.
![રૂપાલાની માફી માંગ્યા છતાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનો ઉગ્ર વિરોધ](https://epapercdn.sandesh.com/images/2024/03/30/vXxlUXUMooK3lAenqmPJNkcFGBrbw8CAdCH8siOT.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વિવાદનો અંત આવ્યો નથી, હજુ શરૂ થયો છેઃ પદ્મિનીબા
- "ક્ષત્રિય સમાજનો નિર્ણય લેનાર જયરાજસિંહ કોણ?
- રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધઃ પદ્મિનીબા
રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ હવે પરશોત્તમ રૂપાલા સામે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. જેમાં હજી ગોંડલમાં 24 કલાક પહેલાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મીટિંગમાં માફી માગી હતી છતાં પણ વિરોધ ચાલી રહ્યો છે. જેમાં હવે મહિલાઓ દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું અને હજી પણ વિવાદનો અંત આવ્યો નથી તેમ કહેવામાં આવ્યું છે.
આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની બેઠક મળી હતી. જેમાં પદ્મિનીબા વાળાની આગેવાનમાં બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ પદ્મિનીબાએ જણાવ્યું કે, વિવાદનો અંત આવ્યો નથી, હજુ શરૂ થયો છે.
![Attachment details](https://epapercdn.sandesh.com/images/2024/03/30/LK9OWEUvYGtv7CBsJI1rHVnejjsIWyKuFLNiiI5s.jpg)
આ સાથે જ પદ્મિનીબાએ ફરી એકવાર જયરાજસિંહ જાડેજા પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ક્ષત્રિય સમાજનો નિર્ણય લેનાર જયરાજસિંહ કોણ?" ગઈકાલે મિટિંગમાં હાજર હતા તેઓ સિંહ ના લગાવે. હવે અમે સરકાર સામે લડીશું અને ન્યાય મેળવીશું. જે સાથે જ મહિલાઓ દ્વારા રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે હજી પણ ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ ચાલી રહ્યો છે.
ટિકિટ રદ કરવાની માંગણી
જ્યારે તેમની માંગણી અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, રાજકારણમાં ખોટા લોકો જોડાયેલા છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરીશું. અમે રૂપાલાને માફી નહીં આપીએ. અમારા ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. જેના માટે વિરોધ ચાલું રાખીશું.
![Attachment details](https://epapercdn.sandesh.com/images/2024/03/30/IuFgmTUR7h3s1I25taRwpFYO3eFmc3VkMfgS3ytl.jpg)
જે પછી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે પછી સ્થાનિક પોલીસ દ્વારા પૂતળાની આગ પર પાણી નાખવામાં આવ્યું હતું. જે દરમિયાન ત્યાં હાજર ભીડ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં વિરોધ યથાવત્
આ તરફ ગોંડલમાં ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં પણ રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વિવિધ સ્થાનો પર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને ક્લેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, દ્વારકાથી લઈ આણંદ અને વડોદરામાં હજી પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું.