હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગીરી બાપુની મુદત આજે પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Junagadh News : જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે બે વર્ષ પહેલા જિલ્લા કલેક્ટરે હરિગીરી બાપુને નિમણૂક કર્યા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે પ્રાંત અધિકારીને મંદિરના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ભવનાથ મંદિરને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર હેઠળ રહેશે. જ્યારે મંદિરના પૂજારી અને મેનેજરને લઈને કોઈ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો ન હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુની અવધિ આજે 31 જુલાઈ 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરાઈ હોવાનું જણાય છે.
What's Your Reaction?






