સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Sevanth School Ahmedabad : સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં ભારે હોબાળો-તોડફોડ અને જનાક્રોશ બાદ સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. દરમિયાન અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સવારથી જ અધિકારીઓ સાથે સ્કૂલે જઈને તપાસ શરૂ કરાઈ હતી. શહેર ડીઈઓ દ્વારા પ્રાથમિક તપાસને અંતે શિક્ષણ સચિવને રિપોર્ટ સોંપવામા આવ્યો હતો.જે મુજબ આ ઘટનામાં સ્કૂલની-સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. આમ રિપોર્ટ અને તપાસ મુજબ સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારીએ જ વિદ્યાર્થીનો ભોગ લીધો છે.જો સ્કૂલમાં સિક્યુરિટી પુરતી હોત અને બાળક પર હુમલા બાદ તેની તાકીદે સારવાર સહિતની નોંધ લેવાઈ હોત તો આ તે મૃત્યુ પામ્યો ન હોત.
What's Your Reaction?






