સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી બજારો અને સરકારી કચેરીઓ ફરી ધમધમશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર : દિવાળીના તહેવારની રજાઓ બાદ આજથી સમગ્ર રાજ્ય સાથે ઝાલાવાડના બજારો તેમજ સરકારી કચેરીઓ ફરીથી રાબેતા મુજબ ધમધમશે. બજારો ખુલતા ગ્રાહકોની ભીડ પણ હવે જોવા મળશે.
હિન્દુ ધર્મનો સૌથી મોટા તહેવાર દિવાળી અને નવા વર્ષનું વિશેષ મહત્વ રહેલું છે. દિવાળીના તહેવારને લઈને દરેક પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે તેમજ આ તહેવાર લોકો સારી રીતે મનાવી શકે તે માટે સરકારી કચેરીઓ સહિત બજારો તહેવાર દરમિયાન બંધ રહે છે. જેમાં ચાલુ વર્ષે દિવાળીના તહેવારને લઈને ઝાલાવાડની બજારો પડતર દિવસની મોડી રાત સુધી ખુલ્લી રહી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

