સુરતના કતારગામમાં રેસીડેન્શીયલ વિસ્તારમાં ચાલતી ભંગારની 19 દુકાનો સીલ કરાઈ
Surat : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં રેસિડન્સ વિસ્તારમાં ભંગારના ગોડાઉન લોકો માટે ન્યુસન્સ રૂપ બન્યાની ધારાસભ્યની ફરીયાદ બાદ ઝોન દ્વારા ભંગારના ગોડાઉન દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પણ કતારગામના રહેણાંક વિસ્તારમાંથી ભંગારની 19 દુકાન સીલ કરવામાં આવી છે. જોકે, કતારગામની જેમ જ પાલિકાના અન્ય ઝોન વિસ્તારમાં ભંગારની દુકાન અને ગોડાઉન રહેણાંક વિસ્તારમાં છે અને તે પણ લોકો માટે ન્યુસન્સરૂપ છે તેમ છતાં કોઈ કામગીરી થતી નથી. તેથી જો ફરિયાદ થાય તો જ પાલિકા ન્યુસન્સ દુર કરે છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કતારગામના ધારાસભ્ચ વિનોદ મોરડીયાએ પાલિકાની સંકલન બેઠકમાં રહેણાંક વિસ્તારમાં ભંગારની દુકાન અને ગોડાઉન લોકો માટે ન્યુસન્સ ઉભા કરી રહ્યાં છે. ભંગારની દુકાન-ગોડાઉન ગેરકાયદે હોવા સાથે તેમાં કામ કરતા ઈસમોની કાયમી ઓળખ નથી હોતી તેવો મુદ્દો ઊભો કર્યો હતો.
![સુરતના કતારગામમાં રેસીડેન્શીયલ વિસ્તારમાં ચાલતી ભંગારની 19 દુકાનો સીલ કરાઈ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739355685988.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં રેસિડન્સ વિસ્તારમાં ભંગારના ગોડાઉન લોકો માટે ન્યુસન્સ રૂપ બન્યાની ધારાસભ્યની ફરીયાદ બાદ ઝોન દ્વારા ભંગારના ગોડાઉન દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પણ કતારગામના રહેણાંક વિસ્તારમાંથી ભંગારની 19 દુકાન સીલ કરવામાં આવી છે. જોકે, કતારગામની જેમ જ પાલિકાના અન્ય ઝોન વિસ્તારમાં ભંગારની દુકાન અને ગોડાઉન રહેણાંક વિસ્તારમાં છે અને તે પણ લોકો માટે ન્યુસન્સરૂપ છે તેમ છતાં કોઈ કામગીરી થતી નથી. તેથી જો ફરિયાદ થાય તો જ પાલિકા ન્યુસન્સ દુર કરે છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કતારગામના ધારાસભ્ચ વિનોદ મોરડીયાએ પાલિકાની સંકલન બેઠકમાં રહેણાંક વિસ્તારમાં ભંગારની દુકાન અને ગોડાઉન લોકો માટે ન્યુસન્સ ઉભા કરી રહ્યાં છે. ભંગારની દુકાન-ગોડાઉન ગેરકાયદે હોવા સાથે તેમાં કામ કરતા ઈસમોની કાયમી ઓળખ નથી હોતી તેવો મુદ્દો ઊભો કર્યો હતો.