વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો

Sep 8, 2025 - 16:30
વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા અને પ્રતાપપુરા સરોવરના વરસાદી પાણી આવવાના કારણે નદીની સપાટી ઝડપભેર વધીને લગભગ 22 ફૂટે પહોંચી હતી. જે બાદ આજવા સરોવરના દરવાજા પરથી ઓવરફ્લો બંધ કરાતા તેમજ વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ બંધ થઈ જતા હાલ પૂરની પરિસ્થિતિમાંથી શહેરીજનો બહાર આવી ગયા છે. પરંતુ બીજી તરફ પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો થઈ રહ્યો છે.

ગત શુક્રવાર અને શનિવારના રોજ આજવા અને પ્રતાપપુરા સરોવરના કમાન્ડ એરિયામાં વિવિધ જગ્યાએ ભારે વરસાદ થવાના કારણે બંને સરોવરની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. જેના કારણે આજવા સરોવરના દરવાજા પરથી પાણી વહેવાનું શરૂ હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0