વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં દશામાના મંદિર પાસે રહેતા લોકોનો STP ના ગંદા પાણી મુદ્દે હોબાળો

May 30, 2025 - 15:30
વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં દશામાના મંદિર પાસે રહેતા લોકોનો STP ના ગંદા પાણી મુદ્દે હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Filephoto

Vadodara : વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએઝ પંપ નજીકના દશામાના મંદિર પાસે રહેતા લોકો તંત્રના પાપે નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર  બન્યા છે.  શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પંપ નજીક દશા માતાનું મંદિર આવેલું છે અહીં લોકો રહે છે છતાં અહીં ગંદું પાણી છોડવામાં આવે છે. જેના કારણે સ્થાનિકો નર્કાગાર સ્થિતિમાં જીવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે.

બે દિવસ અગાઉ રાત્રે થોડાક વરસાદ બાદ આ વિસ્તારમાં અન્ય જગ્યાના ગંદા પાણી છોડતાં અહીં દુર્ગંધયુક્ત ગંદા પાણી આ વિસ્તારમાં ભરાયાં હતાં. જેના કારણે સ્થાનિકો દુર્ગંધયુક્ત ગંદા પાણીથી પરેશાન થઇ પાલિકા તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0