લાપતા બાળકોના વાલીઓએ સંગઠિત થઇ ન્યાય માટે લડત કરવા નિર્ધાર કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી લાપતા બાળકો પૈકી અનેક સગીર બાળકોને શોધવામાં પોલીસ નિષ્ક્રિય રહેતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી છે. જેથી હવે વાલીઓએ સંગઠિત થઇને ગૃહવિભાગ અને પોલીસની નબળી કામગીરી સામે લડત આપવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે ૪૦થી વધુ લાપત્તા બાળકોના વાલીઓની મિટીંગ મળી હતી અને આગામી સમયમાં રાજ્યના દરેક શહેરમાં મિટીંગ કરીને ડેટા તૈયાર કર્યા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.
ગુજરાતમાંથી નાના બાળકોથી માંડી સગીરના લાપત્તા થવાના અનેક કિસ્સા બને છે. જેમાં ભીક્ષાવૃતિ અને દેહવિક્રયના કાળા કારોબારમાં ધકેલતી ગેંગ પણ કેટલાંક કિસ્સામાં સક્રિય હોવાનું ખુદ પોલીસ દ્વારા કબુલવામાં આવ્યું છે.
What's Your Reaction?






