રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં, જગન્નાથ મંદિરથી પોલીસે યોજી બુલેટ માર્ચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
148th Jagannath Rath Yatra : આગામી 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ પોલીસે સોમવારે રાત્રે નિર્ધારિત શોભાયાત્રા માર્ગ પર 'બુલેટ માર્ચ' યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સોમવારે (9 જૂન)ના રોજ રાત્રે 10:30 વાગ્યે યોજાયેલી 'બુલેટ માર્ચ' દરમિયાન અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ બુલેટ મોટરસાયકલ પર રથયાત્રાના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
બુલેટ માર્ચને જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી મહંત લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરેથી રથયાત્રાના રૂટ જમાલપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર, સરસપુર, પ્રેમદરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, માણેકચોક થઈને મંદિર સુધી બુલેટ માર્ચ યોજાઇ હતી.
What's Your Reaction?






