રતનપરમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

- બંધ મકાનમાંથી 30 હજારની મત્તાની ચોરી કરી હતી સુરેન્દ્રનગર : રતનપરમાં બંધ મકાનમાંથી રૂ.૩૦ હજારની મત્તાની ચોરી કરનાર ત્રણ શખ્સોને જોરાવરનગર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રતનપર શેરી નં.૧૭માં રહેતા વનરાજભાઈ શીયાળીયા પરિવાર સાથે બહારગામ ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૩૦ હજારની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી રતનપર સર્કિટ હાઉસથી રીવરફ્રન્ટ તરફ જતા કોઝવે નીચેથી સોહિલ ઉર્ફે ડકુર સલીમભાઈ દિવાન (ઉ.વ.૨૩), સદામ ઉર્ફે જેડો કરીમભાઈ જેડા (ઉ.વ.૨૪) અને ઈમ્તીયાઝ ઉર્ફે વલો અજીતભાઈ ઉર્ફે અજોભાઈ મોવર (ઉ.વ.૨૬, ત્રણેય રહે. રતનપર)ને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ઝડપાયેલા સોહિલ અને ઈમ્તીયાઝ સામે સુરેન્દ્રનગર બી-ડિવીઝન અને જોરાવરનગર પોલીસ મથકે અગાઉ અનેક ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.

રતનપરમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- બંધ મકાનમાંથી 30 હજારની મત્તાની ચોરી કરી હતી 

સુરેન્દ્રનગર : રતનપરમાં બંધ મકાનમાંથી રૂ.૩૦ હજારની મત્તાની ચોરી કરનાર ત્રણ શખ્સોને જોરાવરનગર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

રતનપર શેરી નં.૧૭માં રહેતા વનરાજભાઈ શીયાળીયા પરિવાર સાથે બહારગામ ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૩૦ હજારની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 

પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી રતનપર સર્કિટ હાઉસથી રીવરફ્રન્ટ તરફ જતા કોઝવે નીચેથી સોહિલ ઉર્ફે ડકુર સલીમભાઈ દિવાન (ઉ.વ.૨૩), સદામ ઉર્ફે જેડો કરીમભાઈ જેડા (ઉ.વ.૨૪) અને ઈમ્તીયાઝ ઉર્ફે વલો અજીતભાઈ ઉર્ફે અજોભાઈ મોવર (ઉ.વ.૨૬, ત્રણેય રહે. રતનપર)ને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 ઝડપાયેલા સોહિલ અને ઈમ્તીયાઝ સામે સુરેન્દ્રનગર બી-ડિવીઝન અને જોરાવરનગર પોલીસ મથકે અગાઉ અનેક ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.