મેમનગરમાં વાસુપૂજ્ય હોસ્પિટલમાંથી મહિલાકર્મીની 4.23 લાખની ઉચાપત

મેમનગર વિસ્તારમાં રોહનભાઇ ભટ્ટ હેલ્મેટ સર્કલ પાસે વાસુપૂજ્ય હોસ્પિટલ ધરાવે છેદર્દી નિલેશભાઇ શાહે 50 હજાર રોકડા જમા કરાવ્યા છે જૈનીબેન બીમાર હોવાનું કહીને રજા પર ઉતરી જતા તેમની પર શંકાઓ રોહનભાઇને થઇ હતી મેમનગર વિસ્તારમાં રોહનભાઇ ભટ્ટ હેલ્મેટ સર્કલ પાસે વાસુપૂજ્ય હોસ્પિટલ ધરાવે છે. તેમની હોસ્પિટલમાં 9 તબીબો તેમજ મેનેજમેન્ટમાં 15 જેટલા વ્યકિતઓ નોકરી કરે છે. તેમના ત્યાં કેશ કાઉન્ટર પર કૈલાશબેન મોદી અને જૈનીબેન ઠાકોર સંભાળે છે. આથી આ બન્ને મહિલાઓ દર્દીઓના બિલો બનાવીને કેશ મેળવીને તેનો હિસાબ રાખવાનું કામકાજ કરે છે. રોહનભાઇને તા. 27 માર્ચે પિતરાઇ ભાઇ જય દવેએ કહ્યું કે, દર્દી નિલેશભાઇ શાહે 50 હજાર રોકડા જમા કરાવ્યા છે પરંતુ રસીદ 25 હજારની છે. આથી રોહનભાઇએ તાત્કાલિક કેશ કાઉન્ટર પર હાજર કૈલાશબેનને બોલાવીને પૂછતા તેઓ તમામ હિસાબ કિતાબ આપ્યો હતો. બાદમાં જૈનીબેન બીમાર હોવાનું કહીને રજા પર ઉતરી જતા તેમની પર શંકાઓ રોહનભાઇને થઇ હતી. બાદમાં રોહનભાઇએ સીસીટીવી ફૂટેજ તપાસતા જૈનીબેન રોકડ પૈસા ખિસ્સામાં મૂકતા અને રસીદો ફાડીને કચરા પેટીમાં નાંખતા નજરે પડયા હતા. આથી જૈનીબેનને બોલાવીને પૂછપરછ કરતા કુલ 4.23 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રોહનભાઇએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં જૈનીબેન ઠાકોર વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

મેમનગરમાં વાસુપૂજ્ય હોસ્પિટલમાંથી મહિલાકર્મીની 4.23 લાખની ઉચાપત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેમનગર વિસ્તારમાં રોહનભાઇ ભટ્ટ હેલ્મેટ સર્કલ પાસે વાસુપૂજ્ય હોસ્પિટલ ધરાવે છે
  • દર્દી નિલેશભાઇ શાહે 50 હજાર રોકડા જમા કરાવ્યા છે
  • જૈનીબેન બીમાર હોવાનું કહીને રજા પર ઉતરી જતા તેમની પર શંકાઓ રોહનભાઇને થઇ હતી

મેમનગર વિસ્તારમાં રોહનભાઇ ભટ્ટ હેલ્મેટ સર્કલ પાસે વાસુપૂજ્ય હોસ્પિટલ ધરાવે છે. તેમની હોસ્પિટલમાં 9 તબીબો તેમજ મેનેજમેન્ટમાં 15 જેટલા વ્યકિતઓ નોકરી કરે છે. તેમના ત્યાં કેશ કાઉન્ટર પર કૈલાશબેન મોદી અને જૈનીબેન ઠાકોર સંભાળે છે. આથી આ બન્ને મહિલાઓ દર્દીઓના બિલો બનાવીને કેશ મેળવીને તેનો હિસાબ રાખવાનું કામકાજ કરે છે. રોહનભાઇને તા. 27 માર્ચે પિતરાઇ ભાઇ જય દવેએ કહ્યું કે, દર્દી નિલેશભાઇ શાહે 50 હજાર રોકડા જમા કરાવ્યા છે પરંતુ રસીદ 25 હજારની છે. આથી રોહનભાઇએ તાત્કાલિક કેશ કાઉન્ટર પર હાજર કૈલાશબેનને બોલાવીને પૂછતા તેઓ તમામ હિસાબ કિતાબ આપ્યો હતો. બાદમાં જૈનીબેન બીમાર હોવાનું કહીને રજા પર ઉતરી જતા તેમની પર શંકાઓ રોહનભાઇને થઇ હતી. બાદમાં રોહનભાઇએ સીસીટીવી ફૂટેજ તપાસતા જૈનીબેન રોકડ પૈસા ખિસ્સામાં મૂકતા અને રસીદો ફાડીને કચરા પેટીમાં નાંખતા નજરે પડયા હતા. આથી જૈનીબેનને બોલાવીને પૂછપરછ કરતા કુલ 4.23 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રોહનભાઇએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં જૈનીબેન ઠાકોર વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.