ભદ્રમાં પાથરણાં મુદ્દે AMCએ SCના દરવાજા ખટખટાવ્યા, સેવા સંસ્થાના સભ્યે જણાવ્યું- 'કોર્ટે કહ્યું છે કે હાલ તેમને ખસેડવા નહીં...'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Bhadra Patharanavala Case: અમદાવાદ શહેરના ભદ્રમાં પાથરણાવાળાના પક્ષમાં આપેલા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેની સુનાવણીમાં હાજર સેવા સંસ્થાના સભ્યએ જણાવ્યું કે, હાઈકોર્ટના ચુકાદા ઉપર સ્ટે આપવાની જે વાતો ચાલે છે તે તદ્દન ખોટી છે. કોર્ટે એવું ક્યાંય નથી કીધું કે તેઓ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપે છે. તેમણે તો માત્ર એટલું જ જણાવ્યું છે કે જે 177 લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરીફાઈ કરીને ત્યાં બેસાડવામાં આવ્યા છે, તેમને ત્યાંથી અત્યારે ખસેડવા નહીં. આ સ્થિતિ એટલે કે આગામી છઠ્ઠી તારીખ સુધી જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે, એ સિવાય કોર્ટે બીજું કંઈ જ કહ્યું નથી.'
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

