બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત, સરકાર પાસે રૂ.1,000 કરોડના પેકેજની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં 7 અને 8 સપ્ટેમ્બર 2025ના રોજ આવેલા અચાનક પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ બાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. મુલાકાત દરમિયાન તેમણે સરકાર પાસે તાત્કાલિક રૂ. 1,000 કરોડના સહાય પેકેજની માગ કરી હતી અને સરકારની રાહત કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ
What's Your Reaction?






