ધ્રાંગધ્રા ગ્રામ્યમાં પતિ,પત્ની અને વોના કિસ્સામાં પત્નીએ પોલીસનું શરણું લીધું

સુરેન્દ્રનગર મહિલા પોલીસ મથકે પત્નીએ ફરિયાદ નોંધાવતા કાર્યવાહીબે નણંદની ચડામણીથી અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો પતિ પત્નીને માર મારતો હતો દંપતીને હાલ સંતાનમાં 11 વર્ષનો દિકરો આયુષ અને 6 વર્ષની દિકરી આયુષી છે ધ્રાંગધ્રા ગ્રામ્યમાં રહેતા પરિવારની પુત્રીના 12 વર્ષ પહેલા જેગડવાના યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ હાલ તેઓને 2 સંતાન છે. ત્યારે ગામની એક સ્ત્રી સાથે લગ્નેતર સંબંધો બંધાતા પતિ અવારનવાર નણંદોની ચડામણીથી પરિણીતાને માર મારતો હતો. હાલ પિતૃગૃહે રહેલી પરિણીતાએ ઘરેલુ હિંસાની સુરેન્દ્રનગર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અંગેની પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રાના એક ગામમાં રહેતા પરિવારની પુત્રીના લગ્ન ધ્રાંગધ્રાના જેગડવા ગામના દેવરાજ સેલાભાઈ સારોલા સાથે 12 વર્ષ પહેલા થયા હતા. દંપતીને હાલ સંતાનમાં 11 વર્ષનો દિકરો આયુષ અને 6 વર્ષની દિકરી આયુષી છે. બન્ને સંતાનોના જન્મ બાદ દેવરાજનું વર્તન બદલાઈ ગયુ હતુ. ઘરકામની નાની વાતોમાં અપશબ્દો કહી તેઓ પત્ની સાથે ઝઘડા કરતા હતા. રાતના સમયે પતિ ધીમા અવાજે કોઈની સાથે વાત કરતા હોવાથી પરિણીતાએ તપાસ કરતા મોબાઈલમાં એક છોકરીનો ફોટો નજરે પડયો હતો. આ છોકરી વિશે પુછતા પતિએ આ છોકરી આપણા ગામની જ છે અને મારે તેની સાથે સંબંધ છે તેમ જણાવ્યુ હતુ. આથી પરિણીતાએ બે નણંદોને વાત કરતા તેઓ પતિનો પક્ષ લઈ ઝઘડો કરતા અને પતિને ચડામણી કરતા પતિ માર મારતો હતો. તા. 19-11-2022ના રોજ દેવરાજે પત્ની સાથે ઝઘડો કરી માર મારતા પરીણીતા પિતૃગૃહે આવી ગઈ હતી. ત્યારબાદ પતિ દેવરાજ પરીણીતાને તેડી જતા ન હતા અને એકાદ વર્ષ પહેલા તે છોકરીએ સંતાનને જન્મ આપ્યો હોવાથી બન્ને મૈત્રી કરાર કરી રહેતા હોય તેમ પરિણીતાને લાગ્યુ હતુ. આથી પરિણીતાએ સુરેન્દ્રનગર મહિલા પોલીસ મથકે પતિ દેવરાજ સેલાભાઈ સારોલા, નણંદ દેવુબેન ઘનશ્યામભાઈ મોટપીયા, શારદાબેન સુરેશભાઈ સામે ઘરેલુ હિંસાની ફરીયાદ નોંધાવી છે.

ધ્રાંગધ્રા ગ્રામ્યમાં પતિ,પત્ની અને વોના કિસ્સામાં પત્નીએ પોલીસનું શરણું લીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગર મહિલા પોલીસ મથકે પત્નીએ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી
  • બે નણંદની ચડામણીથી અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો પતિ પત્નીને માર મારતો હતો
  • દંપતીને હાલ સંતાનમાં 11 વર્ષનો દિકરો આયુષ અને 6 વર્ષની દિકરી આયુષી છે

ધ્રાંગધ્રા ગ્રામ્યમાં રહેતા પરિવારની પુત્રીના 12 વર્ષ પહેલા જેગડવાના યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ હાલ તેઓને 2 સંતાન છે. ત્યારે ગામની એક સ્ત્રી સાથે લગ્નેતર સંબંધો બંધાતા પતિ અવારનવાર નણંદોની ચડામણીથી પરિણીતાને માર મારતો હતો. હાલ પિતૃગૃહે રહેલી પરિણીતાએ ઘરેલુ હિંસાની સુરેન્દ્રનગર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અંગેની પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રાના એક ગામમાં રહેતા પરિવારની પુત્રીના લગ્ન ધ્રાંગધ્રાના જેગડવા ગામના દેવરાજ સેલાભાઈ સારોલા સાથે 12 વર્ષ પહેલા થયા હતા. દંપતીને હાલ સંતાનમાં 11 વર્ષનો દિકરો આયુષ અને 6 વર્ષની દિકરી આયુષી છે. બન્ને સંતાનોના જન્મ બાદ દેવરાજનું વર્તન બદલાઈ ગયુ હતુ. ઘરકામની નાની વાતોમાં અપશબ્દો કહી તેઓ પત્ની સાથે ઝઘડા કરતા હતા. રાતના સમયે પતિ ધીમા અવાજે કોઈની સાથે વાત કરતા હોવાથી પરિણીતાએ તપાસ કરતા મોબાઈલમાં એક છોકરીનો ફોટો નજરે પડયો હતો. આ છોકરી વિશે પુછતા પતિએ આ છોકરી આપણા ગામની જ છે અને મારે તેની સાથે સંબંધ છે તેમ જણાવ્યુ હતુ. આથી પરિણીતાએ બે નણંદોને વાત કરતા તેઓ પતિનો પક્ષ લઈ ઝઘડો કરતા અને પતિને ચડામણી કરતા પતિ માર મારતો હતો. તા. 19-11-2022ના રોજ દેવરાજે પત્ની સાથે ઝઘડો કરી માર મારતા પરીણીતા પિતૃગૃહે આવી ગઈ હતી. ત્યારબાદ પતિ દેવરાજ પરીણીતાને તેડી જતા ન હતા અને એકાદ વર્ષ પહેલા તે છોકરીએ સંતાનને જન્મ આપ્યો હોવાથી બન્ને મૈત્રી કરાર કરી રહેતા હોય તેમ પરિણીતાને લાગ્યુ હતુ. આથી પરિણીતાએ સુરેન્દ્રનગર મહિલા પોલીસ મથકે પતિ દેવરાજ સેલાભાઈ સારોલા, નણંદ દેવુબેન ઘનશ્યામભાઈ મોટપીયા, શારદાબેન સુરેશભાઈ સામે ઘરેલુ હિંસાની ફરીયાદ નોંધાવી છે.