દરજીપુરા આરટીઓમાં ડેટા ફેચની એરર દૂર થતા રાહત, આજથી ટ્રેક ટેસ્ટ રાબેતા મુજબ કાર્યરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દરજીપુરા આરટીઓમાં પાછલા 5 દિવસથી રજીસ્ટ્રેશન એરરના કારણે ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અનેક અરજદારોને ધક્કા પડ્યા હતા. જો કે, સોમવારે સાંજે ડેટા ફેચની એરર દૂર થતા 80 જેટલા ટ્રેક ટેસ્ટની કામગીરી થઈ શકી હતી. હવે આવતીકાલે મંગળવારથી ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા રાબેતા મુજબ રહેશે તેમ આરટીઓ ઓફિસરનું કહેવું છે.
આરટીઓમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર સારથી સોફ્ટવેર સાથે સંકલન કરી પ્રોસેસ કરે છે. પરંતુ ડેટા ફેચ થઈ ન શકતા કઈ તા. 5 જૂન ગુરુવારના રોજ બે વખત કામગીરી ખોરવાઈ હતી. જેથી અંદાજે 50થી વધુ એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી હતી.
What's Your Reaction?






