તાંદલજામાં દુકાન ખરીદનાર ગ્રાહક સાથે બિલ્ડરની છેતરપિંડી,નકશામાં દુકાન જ નહિં
વડોદરાઃ તાંદલજા વિસ્તારમાં દુકાન નકશામાં નહિં હોવા છતાં દુકાન વેચાણ કરનાર બિલ્ડર સામે જે પી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.તાંદલજાના અમજદ પાર્કમાં રહેતા તૌસિફ સિરાજુદ્દીન સૈયદે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૦માં મારે દુકાન ખરીદવી હોવાથી મિત્ર મારફતે અસદખાન સુલતાનખાન પઠાણ(એસએસ એવન્યૂ, વાસણા-તાંદલજા રોડ) સાથે સંપર્ક થયો હતો.અસદખાને તાંદલજામાં આવેલી અલ રહેમાન રેસિડેન્સીમાં રૃ.૨૨.૫૦ લાખની દુકાન બતાવી હતી.જે રૃ.૭ લાખનો દસ્તાવેજ ખરીદી હતી.આ દુકાન વેચવા માટે કોર્પોરેશનમાંથી નકશો કઢાવતાં તેમાં દુકાન જ નહતી.જેથી અસદખાનને પૂછતાં તેણે જૂનો નકશો છે.નવા નકશો આવી જશે તેમ કહી બહાના બતાવ્યા હતા.જેથી જેપી રોડ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ તાંદલજા વિસ્તારમાં દુકાન નકશામાં નહિં હોવા છતાં દુકાન વેચાણ કરનાર બિલ્ડર સામે જે પી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
તાંદલજાના અમજદ પાર્કમાં રહેતા તૌસિફ સિરાજુદ્દીન સૈયદે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૦માં મારે દુકાન ખરીદવી હોવાથી મિત્ર મારફતે અસદખાન સુલતાનખાન પઠાણ(એસએસ એવન્યૂ, વાસણા-તાંદલજા રોડ) સાથે સંપર્ક થયો હતો.
અસદખાને તાંદલજામાં આવેલી અલ રહેમાન રેસિડેન્સીમાં રૃ.૨૨.૫૦ લાખની દુકાન બતાવી હતી.જે રૃ.૭ લાખનો દસ્તાવેજ ખરીદી હતી.આ દુકાન વેચવા માટે કોર્પોરેશનમાંથી નકશો કઢાવતાં તેમાં દુકાન જ નહતી.જેથી અસદખાનને પૂછતાં તેણે જૂનો નકશો છે.નવા નકશો આવી જશે તેમ કહી બહાના બતાવ્યા હતા.જેથી જેપી રોડ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.