જીવલેણ અકસ્માત છતાં દારૂના ખેપિયા સામે પોલીસ ઘૂંટણીયે

બનાવસ્થળે રસ્તા પર દારૂની કોથળીઓ વેરણ થઈ હતી : અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત નીપજ્યું હોવા છતાં ઉદ્યોગનગર પોલીસે પગલાં ન લીધાનો આક્રોશ ઠલવાયો પોરબંદર, : કોલીખડા નજીક ધૂમસ્પીડે બાઇક ચલાવી રહેલા શખ્સે અકસ્માત કરતાં એક મહિલાનુ મોત નીપજયુ હતું અને આ બનાવ સમયે સ્થળ ઉપર દારૂની કોથળીઓ પણ વેરવીખેર થઇ હતી તેમ છતાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી એવા રોષ સાથે આગેવાનોએ પોલીસની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યકત કર્યો હતો.બોરીચા ગામે રહેતા અરભમભાઇ ભીખુભાઇ મોઢવાડીયા અને તેમના પત્ની શાંતિબેન બાઇક પર જતા હતા ત્યારે કોરીખડા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતા બુટલેગરના બાઇકે હડફેટે લેતા બાઈકસવાર પરિવાર ઘવાયો હતો, જેમાંનાં શાંતિબેનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતસ્થળે બૂટલેગરનાં બાઇકમાં રહેલ દેશી દારૂની કોથળીઓ રોડ પર વિખેરાઇ ગઇ હતી. આ ઘટના બાદ હજુ સુધી પોલીસે બુટલેગર સામે ગુન્હો નોંઘ્યો નથી જેથી મૃતક મહિલાના પરિવારના સભ્યો તેમજ આગેવાનો દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને એવુ જણાવ્યુ હતુ કે આ રસ્તા પર બુટલેગરો પૂરપાટ વાહન ચલાવી દેશીદારૂની હેરાફેરી કરે છે અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જયુબેલી, બોખીરા, ખાપટ, તુંબડા આવાસ યોજના વિસ્તાર વગેરેમાં દારૂની બેફામ હેરાફેરી થઇ રહી છે છતા પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા છે.

જીવલેણ અકસ્માત છતાં દારૂના ખેપિયા સામે પોલીસ ઘૂંટણીયે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બનાવસ્થળે રસ્તા પર દારૂની કોથળીઓ વેરણ થઈ હતી : અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત નીપજ્યું હોવા છતાં ઉદ્યોગનગર પોલીસે પગલાં ન લીધાનો આક્રોશ ઠલવાયો 

પોરબંદર, : કોલીખડા નજીક ધૂમસ્પીડે બાઇક ચલાવી રહેલા શખ્સે અકસ્માત કરતાં એક મહિલાનુ મોત નીપજયુ હતું અને આ બનાવ સમયે સ્થળ ઉપર દારૂની કોથળીઓ પણ વેરવીખેર થઇ હતી તેમ છતાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી એવા રોષ સાથે આગેવાનોએ પોલીસની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

બોરીચા ગામે રહેતા અરભમભાઇ ભીખુભાઇ મોઢવાડીયા અને તેમના પત્ની શાંતિબેન બાઇક પર જતા હતા ત્યારે કોરીખડા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતા બુટલેગરના બાઇકે હડફેટે લેતા બાઈકસવાર પરિવાર ઘવાયો હતો, જેમાંનાં શાંતિબેનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતસ્થળે બૂટલેગરનાં બાઇકમાં રહેલ દેશી દારૂની કોથળીઓ રોડ પર વિખેરાઇ ગઇ હતી. આ ઘટના બાદ હજુ સુધી પોલીસે બુટલેગર સામે ગુન્હો નોંઘ્યો નથી જેથી મૃતક મહિલાના પરિવારના સભ્યો તેમજ આગેવાનો દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને એવુ જણાવ્યુ હતુ કે આ રસ્તા પર બુટલેગરો પૂરપાટ વાહન ચલાવી દેશીદારૂની હેરાફેરી કરે છે અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જયુબેલી, બોખીરા, ખાપટ, તુંબડા આવાસ યોજના વિસ્તાર વગેરેમાં દારૂની બેફામ હેરાફેરી થઇ રહી છે છતા પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા છે.