જામનગરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનું શિક્ષણ અધિકારીને આવેદન

Jamnagar : જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે તપાસમાં ચાલતા ડીંડક અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જ્યારે સમગ્ર ગુજરાતના સૌથી નબળા અને ધીમા શિક્ષણ અધિકારી તરીકેનો એવોર્ડ પણ અપાયો હતો. અને દસ દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ હતી. જામનગર શહેરમાં ગરીબ વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો પલળી જવા અંગેનું પ્રકરણ કેટલાય સમયથી ચાલી રહ્યું છે. જેની તપાસના નામે ડીંડક ચાલતું હોવાની રજૂઆત સાથે આજે જામનગર શહેર યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને જુદી જુદી પાંચ માંગણીઓ સાથેનું વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.

જામનગરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનું શિક્ષણ અધિકારીને આવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar : જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે તપાસમાં ચાલતા ડીંડક અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જ્યારે સમગ્ર ગુજરાતના સૌથી નબળા અને ધીમા શિક્ષણ અધિકારી તરીકેનો એવોર્ડ પણ અપાયો હતો. અને દસ દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ હતી.

 જામનગર શહેરમાં ગરીબ વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો પલળી જવા અંગેનું પ્રકરણ કેટલાય સમયથી ચાલી રહ્યું છે. જેની તપાસના નામે ડીંડક ચાલતું હોવાની રજૂઆત સાથે આજે જામનગર શહેર યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને જુદી જુદી પાંચ માંગણીઓ સાથેનું વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.