જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી જતા આરોગ્ય તંત્ર એલર્ટ

May 28, 2025 - 06:00
જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી જતા આરોગ્ય તંત્ર એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


હોમ આઈસોલેશનમાં રહેલા 10 દર્દીઓનું સતત મોનિટરીંગ

પાંચ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી, પાંચ દર્દીઓ લોકલ રીતે સંક્રમિતઃ  આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા દર્દીઓના પરિવારજનોના સેમ્પલ લેવાયા

જામનગર: જામનગર તા ૨૭, જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે, અને નવા વેરિયન્ટના હાલ ૧૦ એક્ટિવ કેસ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડી દોડતી થઈ છે, અને જુદા જુદા વિસ્તારોમાં સેમ્પલો લેવા ઉપરાંત જરૂરી દવાઓનું વિતરણ કરાઈ રહ્યું છે. જ્યારે હોમ આઇસોલેશનમાં રહેલા તમામ દર્દીઓનું પ્રતિદિન મોનિટરીંગ કરાઇ રહ્યું છે.

જામનગર શહેરના મહાનગરપાલિકા હસ્તકના જુદા જુદા પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં નવા કોરોના ના પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાથી તે વિસ્તારની અલગ અલગ આરોગ્ય વિભાગની ટુકડીઓ દોડતી કરવામાં આવી છે, અને જે વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તેઓના પરિવારના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0