જામનગરમાં એડવોકેટ અને પાડોશી વેપારી વચ્ચેનો ગજગ્રાહ આગળ વધ્યો : પોલીસ ફરિયાદનું મન દુઃખ વકીલને પુન: ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Crime : જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ અને તેજ બિલ્ડીંગમાં રહેતા એક વેપારી વચ્ચેનો ગજગ્રાહ આગળ વધ્યો છે, અને ગઈકાલે નોંધાવેલી પોલીસ ફરિયાદ પરત ખેંચવા વકીલને વેપારી દ્વારા પુન: ધમકી અપાઇ હોવાથી મામલો ફરી પોલીસ મથકમાં લઈ જવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચવટી સોસાયટીમાં ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા કમલેશભાઈ પંડ્યાએ પરમદીને જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને જાહેરમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ એપાર્ટમેન્ટમા રહેતા જીતુભાઈ મનસુખલાલ વિઠલાણી નામના વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદથી નારાજ થઈને વેપારી જીતુભાઈ મનસુખભાઈ વિઠલાણી કે જે એડવોકેટના ઘરે પહોંચ્યા હતા અને તેમના પત્ની સાથે જીભાજોડી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા.
What's Your Reaction?






