જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના પર્વની પૂર્ણહુતી થઈ રહી છે, ત્યારે સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ દાંડીયા ખેલૈયાઓ માટે વિઘ્ન ઊભું કર્યું હતું. જામનગર શહેરમાં ગઈકાલે રાત્રેના 9:30 વાગ્યા બાદ ફરીથી ધીમીધારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને ફક્ત બે કલાક સુધી છૂટોછવાયો વરસાદ અવિરત ચાલુ રહેવાના કારણે અનેક સ્થળે દાંડિયા મહોત્સવના આયોજનમાં વિક્ષેપ પડ્યો હતો, અને દાંડિયા રસિકો અંતિમ દિવસોમાં નિરાશ થયા હતા.
નાની મોટી ગરબીમાં નાની બાળાઓને લ્હાણી વિતરણ વગેરેના કાર્યક્રમો વરસાદની વચ્ચે આટોપી લેવા પડ્યા હતા, તો અર્વાચીન રાસ મહોત્સવમાં પણ દાંડિયા ખેલૈયાઓઓ વરસાદી ઝાપટાંની વચ્ચે રાસ રમવાનો વારો આવ્યો હતો.
જામનગર શહેરમાં ગઈકાલે તેજ રફતારથી પવનની સાથે સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા અવિરત ચાલુ રહ્યા હતા.
What's Your Reaction?






