ગુજરાતમાં ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે? રાહુલની ચેલેન્જને પગલે મનોમંથન શરૂ

Gujarat BJP News | 4-5મી જુલાઈએ બોટાદના સારંગપુર ખાતે ભાજપ પ્રદેશની બે દિવસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવવા જઈ રહી છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે એટલું જ નહીં, પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે. હવે પાટીલના અનુગામી કોણ? તે અંગે રાજકીય અટકળો શરૂ થઈ છે. દરમિયાન, એવુ જાણવા મળ્યુ છેકે, કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઈને સસ્પેન્સ પૂર્ણ થશે કેમકે, ગુજરાત ભાજપના કાર્યકરી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.બોટાદ સ્થિત પુરુષોતમ મંદિરમાં ભાજપની બે દિવસીય વિસ્તૃત કારોબારી યોજાનાર છે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે. આ કારોબારીની બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઇને આયોજન કરવામાં આવશે. સાથે સાથે આગામી પંચાયત-પાલિકાની ચૂંટણીને લઈને પણ રણનિતી ઘડવામાં આવનાર છે. બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠરાવ થયો હતો તે પસાર કરવામાં આવશે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું હેટ્રીક સપનું ચકનાચૂર થયુ હતું. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરતાં ભાજપે આ બેઠક કેમ ગુમાવી તે અંગેના કારણોની વિગતવાર ચર્ચા કરશે. જુલાઈના બીજા સપ્તાહથી ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું  છે તે અંગે પણ ભાજપના વિવિધ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.લોકસભાની ચૂંટણી બાદ હવે પંચાયત-પાલિકાની ચૂંટણી ભાજપ માટે પડકાર સમાન છે. આ જોતાં ફરી એકવાર સંગઠનને ચૂંટણી કામે લગાડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે કારોબારીની બેઠકમાં સૌથી પહેલાં કાર્યકારી ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. તેનુ કારણ એ છે કે, રથયાત્રા બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે કોને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે તે મુદ્દે અટકળો ચાલી રહી છે. જોકે, વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખને લઈને આખુય ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ ઉપરાંત સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે કે ગુજરાતમાં કોંગ્રેસ જીતીને બતાવશે. આ ચેલેન્જને પગલે પણ ભાજપ મનોમંથન કરશે. 

ગુજરાતમાં ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે? રાહુલની ચેલેન્જને પગલે મનોમંથન શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat BJP News | 4-5મી જુલાઈએ બોટાદના સારંગપુર ખાતે ભાજપ પ્રદેશની બે દિવસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવવા જઈ રહી છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે એટલું જ નહીં, પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે. હવે પાટીલના અનુગામી કોણ? તે અંગે રાજકીય અટકળો શરૂ થઈ છે. દરમિયાન, એવુ જાણવા મળ્યુ છેકે, કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઈને સસ્પેન્સ પૂર્ણ થશે કેમકે, ગુજરાત ભાજપના કાર્યકરી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

બોટાદ સ્થિત પુરુષોતમ મંદિરમાં ભાજપની બે દિવસીય વિસ્તૃત કારોબારી યોજાનાર છે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે. આ કારોબારીની બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઇને આયોજન કરવામાં આવશે. સાથે સાથે આગામી પંચાયત-પાલિકાની ચૂંટણીને લઈને પણ રણનિતી ઘડવામાં આવનાર છે. બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠરાવ થયો હતો તે પસાર કરવામાં આવશે. 

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું હેટ્રીક સપનું ચકનાચૂર થયુ હતું. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરતાં ભાજપે આ બેઠક કેમ ગુમાવી તે અંગેના કારણોની વિગતવાર ચર્ચા કરશે. જુલાઈના બીજા સપ્તાહથી ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું  છે તે અંગે પણ ભાજપના વિવિધ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણી બાદ હવે પંચાયત-પાલિકાની ચૂંટણી ભાજપ માટે પડકાર સમાન છે. આ જોતાં ફરી એકવાર સંગઠનને ચૂંટણી કામે લગાડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે કારોબારીની બેઠકમાં સૌથી પહેલાં કાર્યકારી ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. તેનુ કારણ એ છે કે, રથયાત્રા બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે કોને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે તે મુદ્દે અટકળો ચાલી રહી છે. જોકે, વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખને લઈને આખુય ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ ઉપરાંત સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે કે ગુજરાતમાં કોંગ્રેસ જીતીને બતાવશે. આ ચેલેન્જને પગલે પણ ભાજપ મનોમંથન કરશે.