ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Teachers Count Dogs Controversy: ગુજરાતમાં SIRની કામગીરીમાંથી હજુ તો શૈક્ષણિક સ્ટાફ છૂટો થયો નથી ત્યાં તો ફરી એક પરિપત્ર કરી દેવાતા વિવાદનું વંટોળ ઊભું થયું છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રહેલા શ્વાનોનો રિપોર્ટ સોંપવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શાળાના કેમ્પસની અંદર અને આસપાસ કેટલા શ્વાન છે તેની વિગતો જણાવવા સૂચન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી આપી છે. જો કે શિક્ષકો કે શાળાના સ્ટાફે શૈક્ષણિક સંસ્થાઓ પૂરતી જ શ્વાનની મર્યાદિત ગણતરી કરવાની છે તેનો પણ સરકાર દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

