ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં નિયમો બદલાયા, હવે છઠ્ઠી એપ્રિલ 1995 પછીના રેકોર્ડ જ ધ્યાનમાં લેવાશે

State Government Big Decision For Farmers : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ મળશે. મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂત ખરાઈ માટે હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે. આ કાર્યવાહી કરાઈ સરળખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની પ્રક્રિયા આકરી હતી. જેમાં ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52 થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. પરંતુ, વિવિધ કારણોસર આ પુરાવાઓ મળતા ન હોવાથી વેચાણ નોંધો અને બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સા બનાતા હતા. જેને સરળ બનાવાયા છે. અને હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે.આ પણ વાંચો : ગાંધીનગરમાં ગણેશ વિસર્જન સમયે મૃત્યુ પામેલા 8 યુવાનોના નામ જાહેર કરાયા, ગામમાં સન્નાટો પ્રસર્યોમુખ્યમંત્રીને કરાઈ હતી રજૂઆતખેડૂત ખરાઈ માટેની પ્રક્રિયામાં અનેક તકલીફો પડતી હતી. પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમજ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ મળતા ન હતા. જે અંગે મુખ્યમંત્રીને રજૂઆતો કરાઈ હતી. જેથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે. પરંતુ હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે, તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ.આ પણ વાંચો : પૂર કે દુષ્કાળ જેવી આફતથી મળશે છુટકારો, વરસાદને કરાશે કન્ટ્રોલ, ભારતીય વિજ્ઞાનીઓનો મોટો પ્લાનખેડૂત ખરાઈ માટે આ રેકોર્ડ ધ્યાને લેવાશેજો કે, આવી ખેતીની જમીનના હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂતે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે. આ સાથે બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈ માટે 6 એપ્રિલ 1995 પછીનો જ રેકર્ડ ધ્યાને લેવાશે. અને ટાઈટલ અંગે વિસંગતતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે તેનું સોગંધનામું પણ કરવાનું રહેશે.

ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં નિયમો બદલાયા, હવે છઠ્ઠી એપ્રિલ 1995 પછીના રેકોર્ડ જ ધ્યાનમાં લેવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Farmer

State Government Big Decision For Farmers : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ મળશે. મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂત ખરાઈ માટે હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે.

આ કાર્યવાહી કરાઈ સરળ

ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની પ્રક્રિયા આકરી હતી. જેમાં ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52 થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. પરંતુ, વિવિધ કારણોસર આ પુરાવાઓ મળતા ન હોવાથી વેચાણ નોંધો અને બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સા બનાતા હતા. જેને સરળ બનાવાયા છે. અને હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં ગણેશ વિસર્જન સમયે મૃત્યુ પામેલા 8 યુવાનોના નામ જાહેર કરાયા, ગામમાં સન્નાટો પ્રસર્યો

મુખ્યમંત્રીને કરાઈ હતી રજૂઆત

ખેડૂત ખરાઈ માટેની પ્રક્રિયામાં અનેક તકલીફો પડતી હતી. પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમજ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ મળતા ન હતા. જે અંગે મુખ્યમંત્રીને રજૂઆતો કરાઈ હતી. જેથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે. પરંતુ હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે, તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ.

આ પણ વાંચો : પૂર કે દુષ્કાળ જેવી આફતથી મળશે છુટકારો, વરસાદને કરાશે કન્ટ્રોલ, ભારતીય વિજ્ઞાનીઓનો મોટો પ્લાન

ખેડૂત ખરાઈ માટે આ રેકોર્ડ ધ્યાને લેવાશે

જો કે, આવી ખેતીની જમીનના હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂતે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે. આ સાથે બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈ માટે 6 એપ્રિલ 1995 પછીનો જ રેકર્ડ ધ્યાને લેવાશે. અને ટાઈટલ અંગે વિસંગતતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે તેનું સોગંધનામું પણ કરવાનું રહેશે.