કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસને ધક્કો મારીને નાસી ગયેલા આરોપીને ઝડપી લેવાયા

Jan 12, 2025 - 01:30
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસને ધક્કો મારીને નાસી ગયેલા આરોપીને ઝડપી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શનિવાર

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં ઝડપાયેલો આરોપી મનીષ ધોબી (રહે.દેવકૃપા ગ્રીન્સ, આયોજનનગર, હાથીજણ) ગુરૂવારે સવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ) ઇશ્વરભાઇને ધક્કો મારીને ફરાર થઇ ગયો હતો. 

આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર ધવન અને તેમના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ એનાલીસીસને આધારે ડી સ્ટાફ તેમજ અન્ય ચાર ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં બાતમી મળી હતી કે મનીષ ધોબી વસ્ત્રાપુર ગુરૂકુળ રોડ પર નવનીત હાઉસ પાસે ઉભો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0