કપડવંજના અખાડા પર કબજો કરવા માટે આવેલા અમદાવાદના 250 કિન્નરોની રસ્તામાં જ અટકાયત

Feb 6, 2026 - 09:00
કપડવંજના અખાડા પર કબજો કરવા માટે આવેલા અમદાવાદના 250 કિન્નરોની રસ્તામાં જ અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ગાદીના વિવાદમાં કિન્નર સમુદાય આમનેસામને : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ

- કઠલાલ ચોકડી પાસે 50 જેટલી ગાડીઓમાં આવેલા કિન્નરોના કાફલાની અટકાયત અખાડાની સુરક્ષામાં તૈનાત હથિયારધારી બાઉન્સરોની ફોજને ખદેડી મૂકતા નાસભાગ

- ઘટનાની ગંભીરતાના પગલે 500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવાયો : સ્થિતિ નિયંત્રણમાં, પરંતુ તણાવ યથાવત્

નડિયાદ: ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલા અખાડામાં પ્રાણ પ્રતિા મહોત્સવ દરમિયાન કિન્નરોના બે જૂથો વચ્ચે ગાદી અને વર્ચસ્વનો વિવાદ વરવા સ્વરૂપે બહાર આવ્યો છે. અમદાવાદના જમાલદાદા અખાડાના કિન્નરો દ્વારા કપડવંજના શ્રી દાદા ગંગારામ અખાડા પર કબજો મેળવવાના ઈરાદે કરવામાં આવેલા હુમલાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0