એસો.પ્રોફેસર લખતરિયા કેસમાં પોલીસ પર રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ

અમદાવાદ,શનિવારગુજરાત યુનિવર્સિટીના એનીમેશન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. કમલજીત લખતરિયા દ્વારા સત્તાનો દુરઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે નિવૃત ન્યાયધીશ એ કે ગુપ્તાના રિપોર્ટના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે સુત્રોના જણાવ્યા મુજબ આ મામલે ક્રાઇમબ્રાંચ પર કેટલાંક મોટા નેતાઓએ રાજકીય દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ  મુકવામાં આવ્યો છે. જો કે ક્રાઇમબ્રાંચના સિનિયર અધિકારીઓએ કોઇ દાદ નહી આપીને રિપોર્ટના આધારે તપાસ શરૂ કરવાની સુચના આપી છે. જેમાં પ્રાથમિક તપાસમા સમગ્ર કૌભાંડમાં કમલજીત લખતરિયાની ભૂમિકા જણાઇ આવી હોવાનું જાણવા મળ્યું છે.

એસો.પ્રોફેસર લખતરિયા કેસમાં પોલીસ પર  રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

ગુજરાત યુનિવર્સિટીના એનીમેશન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. કમલજીત લખતરિયા દ્વારા સત્તાનો દુરઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે નિવૃત ન્યાયધીશ એ કે ગુપ્તાના રિપોર્ટના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે સુત્રોના જણાવ્યા મુજબ આ મામલે ક્રાઇમબ્રાંચ પર કેટલાંક મોટા નેતાઓએ રાજકીય દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ  મુકવામાં આવ્યો છે. જો કે ક્રાઇમબ્રાંચના સિનિયર અધિકારીઓએ કોઇ દાદ નહી આપીને રિપોર્ટના આધારે તપાસ શરૂ કરવાની સુચના આપી છે.

જેમાં પ્રાથમિક તપાસમા સમગ્ર કૌભાંડમાં કમલજીત લખતરિયાની ભૂમિકા જણાઇ આવી હોવાનું જાણવા મળ્યું છે.