અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક ૧૧ વર્ષ પહેલા થયેલા માર્ગ અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું હોવા છતાંય, ફરીયાદી યુવકે પોતે જ કાર ચલાવતો હોવાની અને મૃતક ડ્રાઇવર સીટ પર બેઠો હોવાનું ખોટી વિગતો આપીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મૃતકના પરિવારજનોએ વીમા કંપનીમાં ૨૫ કરોડનો વાદો કરતા કંપની દ્વારા કરવામાં આવેલી તપાસ અને એફએસએલના રિપોર્ટમાં ફરિયાદીની પોલ ખુલી પડી હતી. આ અંગે સાણંદ પોલીસે વીમા કંપનીની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના સીજી રોડ પર આવેલા ટકકોઇસ બિલ્ડીંગમાં આવેલી બજાજ આલિયાન્ઝ ઇન્સ્યોરન્સ કંપનીના વાહન અકસ્માતના ક્લેઇમ અંગેની કામગીરી સંભાળતા ગૌરાંગભાઇ રવિયાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે સાણંદ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ ૨૦૧૪માં ફરિયાદ નોંધાઇ હતી કે મહેસાણા રાધનપુર રોડા પર આવેલા તુલસી બંગ્લોઝમાં રહેતા બિપીન પટેલ કાર ચલાવતા હતા. ત્યારે રસ્તામાં કુતરૂ આવી જતા અકસ્માત થયો હતો.
What's Your Reaction?






