Vijay Rupaniનો નશ્વરદેહ આજે પરિજન સ્વીકારશે, સાંજે કરાશે અંતિમ સંસ્કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્વ CM વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે, ત્યારે આજે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિજન સ્વીકારશે અને સવારે 11 વાગ્યે પરિજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે અને 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ સ્વીકારશે, બપોરે 12:30 વાગ્યે નશ્વરદેહ રાજકોટ લઈ જવાશે. હવાઈ માર્ગે નશ્વરદેહ રાજકોટ લઈ જવાશે.
12:30 થી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે નશ્વરદેહ
તો વિજય રૂપાણી અંતિમયાત્રા ગ્રીન ચોકડીથી નિવાસસ્થાન સુધી નીકળશે, સાંજે 4થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન કરાશે અને સાંજે 5 થી 6 વાગ્યા સુધી અંતિમયાત્રા નીકળશે અને રામનાથપરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર થશે, પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળશે
આજે સાંજે 5થી 6 વાગ્યા સુધી અંતિમયાત્રા નીકળશે અને પ્રકાશ સોસાયટીથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા નીકળશે, નિર્મલા કોન્વેન્ટ રોડથી કોટેચા ચોક, કાલાવાડ રોડ, કોટેચા ચોક, કાલાવાડ રોડથી મહિલા કોલેજ રોડ, મહિલા કોલેજ રોડથી એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, સરદારનગર મેઈન રોડથી યાજ્ઞીક રોડ, માલવિયા ચોક, માલવિયા ચોકથી ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક કોર્પોરેશન ચોકથી બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, રાજશ્રી ટોકીઝ રોડથી સ્વામીનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડથી રામનાથ પરા સ્મશાન જશે.
વિજય રૂપાણીની અંતિમયાત્રાના એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલમાં રહેશે
રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશર મહેન્દ્ર બગડિયાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં જણાવ્યું છે કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગામી સમયમાં અંતિમયાત્રા યોજાનાર હોય જેમાં શહેર તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ, જાહેર જનતા જોડાનાર હોય જેથી તેમના નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડથી કોટેચા ચોક, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડરબ્રીજ, એસ્ટ્રોન ચોક, ડોક્ટર દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર ચોક, કોર્પોરેશન ચોક, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી પોઈન્ટ, કોઠારિયા પોલીસ ચોકી, ગરુડ ગરબી ચોકથી રામનાથપરા સુધી, પાંજરાપોળથી રામનાથપરા અને ગઢની રાંગ ભીચરી નાકા તરફથી રામનાથપરા સ્મશાનગૃહ સુધી તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે જયારે અંતિમયાત્રા નીકળશે તેના એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલમાં રહેશે.
What's Your Reaction?






