Vadodaraમાં તત્કાલીન TPO કૈલાશ ભોયે પાસેથી આવક કરતા 56 ટકા વધુ સંપત્તિ

વડોદરામાં આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તપાસ ચાલી રહી છે.આજે કૈલાશ ભોયેના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે,સુરતના તત્કાલીન TPO કૈલાશ ભોયેની ધરપકડ કરવામાં આવી છે.મહત્વનું છે કે,ACB ભોયે પાસેથી ખાસ વધુ માહિતી ન કઢાવી શકી સાથે સાથે પોલીસને કૈલાશ ભોયેનું BOBમાંથી લોકર મળી આવ્યું છે.આવતીકાલે કૈલાશ ભોયે લોકર ખોલવામાં આવશે. વિશ્વામિત્રી નદીની જમીન ઝોન ફેર કરવાનો આરોપ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,કૈલાશ ભોયે પાસે આવક કરતા 56 ટકા વધુ સંપતિ મળી આવી છે.વર્ષ 2010થી 2016માં વડોદરામાં TPO તરીકે કૈલાશ ભોયે ફરજ બજાવતા હતા.પોલીસ આવતીકાલે બીઓબીનું જે લોકર છે તે ખોલવામાં આવશે તેમજ કૈલાશ ભોયે પર વિશ્વામિત્રી નદીની જમીન ઝોન ફેર કરવાનો આરોપ લાગ્યો છે.સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કે.એલ. ભોયા સામે વડોદરા એ.સી.બી.માં ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ગુનો નોંધાયા પછી ભુગર્ભમાં ઉતરી ગયેલાં અધિકારીને વલસાડ ખાતેના તેના નિવાસસ્થાનેથી દબોચી લેવામાં આવ્યા છે. કુંટુંબીના નામે વસાવી મિલકતો કૈલાશ ભોયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગઈ તા. 11મી સપ્ટેમ્બર 2020ના રોજ તપાસ શરુ કરવામાં આવી હતી. તેમની નોકરીના કાર્યકાળનો સમય તા. 1લી એપ્રિલ 2012થી તા. 31મી માર્ચ 2020 સુધીનો નિર્ધારીત ગણીને તેમની આવક અને તેની સામે વસાવેલી મિલ્કતો અંગે તપાસમાં 1.57 કરોડની અપ્રમાણસર મીલકત મળી આવી હતી. એ.સી.બી.ની તપાસ પ્રમાણે કૈલાશ ભોયાની કાયદેસરની આવક રૂ. 2,75,99,747 થતી હતી. પરંતુ તેમણે ધનવાન થવા માટે ભ્રષ્ટાચારની રીત રસમો અપનાવીને પોતાના નામે તેમજ કુટુંબીજનોના નામે સ્થાવર અને જંગમ મિલ્કતો વસાવી હતી. અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Vadodaraમાં તત્કાલીન TPO કૈલાશ ભોયે પાસેથી આવક કરતા 56 ટકા વધુ સંપત્તિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તપાસ ચાલી રહી છે.આજે કૈલાશ ભોયેના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે,સુરતના તત્કાલીન TPO કૈલાશ ભોયેની ધરપકડ કરવામાં આવી છે.મહત્વનું છે કે,ACB ભોયે પાસેથી ખાસ વધુ માહિતી ન કઢાવી શકી સાથે સાથે પોલીસને કૈલાશ ભોયેનું BOBમાંથી લોકર મળી આવ્યું છે.આવતીકાલે કૈલાશ ભોયે લોકર ખોલવામાં આવશે.

વિશ્વામિત્રી નદીની જમીન ઝોન ફેર કરવાનો આરોપ

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,કૈલાશ ભોયે પાસે આવક કરતા 56 ટકા વધુ સંપતિ મળી આવી છે.વર્ષ 2010થી 2016માં વડોદરામાં TPO તરીકે કૈલાશ ભોયે ફરજ બજાવતા હતા.પોલીસ આવતીકાલે બીઓબીનું જે લોકર છે તે ખોલવામાં આવશે તેમજ કૈલાશ ભોયે પર વિશ્વામિત્રી નદીની જમીન ઝોન ફેર કરવાનો આરોપ લાગ્યો છે.સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કે.એલ. ભોયા સામે વડોદરા એ.સી.બી.માં ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ગુનો નોંધાયા પછી ભુગર્ભમાં ઉતરી ગયેલાં અધિકારીને વલસાડ ખાતેના તેના નિવાસસ્થાનેથી દબોચી લેવામાં આવ્યા છે.

કુંટુંબીના નામે વસાવી મિલકતો

કૈલાશ ભોયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગઈ તા. 11મી સપ્ટેમ્બર 2020ના રોજ તપાસ શરુ કરવામાં આવી હતી. તેમની નોકરીના કાર્યકાળનો સમય તા. 1લી એપ્રિલ 2012થી તા. 31મી માર્ચ 2020 સુધીનો નિર્ધારીત ગણીને તેમની આવક અને તેની સામે વસાવેલી મિલ્કતો અંગે તપાસમાં 1.57 કરોડની અપ્રમાણસર મીલકત મળી આવી હતી. એ.સી.બી.ની તપાસ પ્રમાણે કૈલાશ ભોયાની કાયદેસરની આવક રૂ. 2,75,99,747 થતી હતી. પરંતુ તેમણે ધનવાન થવા માટે ભ્રષ્ટાચારની રીત રસમો અપનાવીને પોતાના નામે તેમજ કુટુંબીજનોના નામે સ્થાવર અને જંગમ મિલ્કતો વસાવી હતી.

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.