Vadodara: સાવલી તાલુકાના પીલોલ ગામ સહિત પાંચ ગામો સંપર્ક વિહોણા બની ગયા

વિશ્વામિત્રીમાં આજવા અને પ્રતાપ સરોવરના પાણી છોડાતાબુધવારે રાતે ખોખારથી ઇન્દ્રાડ જતું ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું સાવલીના પીલોલ ગામે અને મંજુસર જીઆઇડીસીમાં ભરાયેલા પાણીની સાવલી તાલુકાના પીલોલ ગામ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા ડેમ અને પ્રતાપ સરોવરનું પાણી છોડતા પિલોલ સહિત પાંચ ગામો વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાના પગલે પાંચ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. સાવલીના પીલોલ ગામે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પ્રતાપ સરોવર અને આજવા સરોવરનું ઓવરફ્લોર પાણી છોડતા પિલોલ મોટાપુરા કલ્યાણપુરા નાનાપરા અને દરજી પુરા સહિતના ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડતા જળસ્તર વધતા તમામ ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા હતા. ગ્રામજનો ઘરોમાં પુરાવા માટે મજબૂર થયા હતા. પાંચેય ગામોના રસ્તાઓ પર ઢીચણ સમાન પાણી ભરાયા હતા. જ્યારે બીજી બાજુ ઇન્દ્રાડ ખોખર અને વેમાર જે ગતરોજ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. તેનું પાણી ઉતરતા ધીરે ધીરે જનજીવન ધબકતું થયું હતું. મંજુસર જીઆઇડીસીમાં પાણી ભરાઈ જવાના પગલે કેટલાય ઉદ્યોગો આજે બંધ રહ્યાં હતા. જ્યારે પાણી ભરાવાના પગલે કેટલાક પરપ્રાંતીય મજૂરો અટવાયા હતા. તેમને મંજુસર જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ જય શર્મા અને અન્ય હોદ્દેદારોએ તેઓના જમવાની વ્યવસ્થા કરી હતી. ટ્રેક્ટરમાં બેસીને સમગ્ર જીઆઈડીસીમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્યારે ગત રાત્રીના સમયે ખોખારથી ઇન્દ્રાડ જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ જતા તણાઈ ગયું હતું. જોકે ટ્રેક્ટરમાં સવાર બે લોકો તરીને બહાર આવતા બચી જવા પામ્યા હતા. જોકે હજુ સુધી ટ્રેક્ટર લાપતા છે. આમ વરસાદે સમગ્ર તાલુકાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું.

Vadodara: સાવલી તાલુકાના પીલોલ ગામ સહિત પાંચ ગામો સંપર્ક વિહોણા બની ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિશ્વામિત્રીમાં આજવા અને પ્રતાપ સરોવરના પાણી છોડાતા
  • બુધવારે રાતે ખોખારથી ઇન્દ્રાડ જતું ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું
  • સાવલીના પીલોલ ગામે અને મંજુસર જીઆઇડીસીમાં ભરાયેલા પાણીની

સાવલી તાલુકાના પીલોલ ગામ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા ડેમ અને પ્રતાપ સરોવરનું પાણી છોડતા પિલોલ સહિત પાંચ ગામો વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાના પગલે પાંચ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

સાવલીના પીલોલ ગામે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પ્રતાપ સરોવર અને આજવા સરોવરનું ઓવરફ્લોર પાણી છોડતા પિલોલ મોટાપુરા કલ્યાણપુરા નાનાપરા અને દરજી પુરા સહિતના ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડતા જળસ્તર વધતા તમામ ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા હતા. ગ્રામજનો ઘરોમાં પુરાવા માટે મજબૂર થયા હતા. પાંચેય ગામોના રસ્તાઓ પર ઢીચણ સમાન પાણી ભરાયા હતા. જ્યારે બીજી બાજુ ઇન્દ્રાડ ખોખર અને વેમાર જે ગતરોજ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. તેનું પાણી ઉતરતા ધીરે ધીરે જનજીવન ધબકતું થયું હતું. મંજુસર જીઆઇડીસીમાં પાણી ભરાઈ જવાના પગલે કેટલાય ઉદ્યોગો આજે બંધ રહ્યાં હતા.

જ્યારે પાણી ભરાવાના પગલે કેટલાક પરપ્રાંતીય મજૂરો અટવાયા હતા. તેમને મંજુસર જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ જય શર્મા અને અન્ય હોદ્દેદારોએ તેઓના જમવાની વ્યવસ્થા કરી હતી. ટ્રેક્ટરમાં બેસીને સમગ્ર જીઆઈડીસીમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્યારે ગત રાત્રીના સમયે ખોખારથી ઇન્દ્રાડ જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ જતા તણાઈ ગયું હતું. જોકે ટ્રેક્ટરમાં સવાર બે લોકો તરીને બહાર આવતા બચી જવા પામ્યા હતા. જોકે હજુ સુધી ટ્રેક્ટર લાપતા છે. આમ વરસાદે સમગ્ર તાલુકાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું.