Vadodara : બરોડા ડેરી કૌભાંડ, ડેસરની મેરાકુવા દૂધ મંડળીના હોદ્દેદારો સામે ફરિયાદ

Jun 6, 2025 - 12:00
Vadodara : બરોડા ડેરી કૌભાંડ, ડેસરની મેરાકુવા દૂધ મંડળીના હોદ્દેદારો સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં અત્યારે ડેરી કૌભાંડને લઈને મામલો ગરમાયો છે. શહેરમાં બરોડા ડેરીમાં ડેસરની મેરાકુવા દુધમંડળીના હોદેદારો દ્વારા બેંકમાંથી ખોટી રીતે નાણાંની ઉચાપાત કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના બાદ બનાસ ડેરીમાં મોટાગોટાળો થતા હોવાને લઈને ડેસર પોલીસ મથકમાં મેરાકુવા દૂધ મંડળીના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી.

મેરાકુવાના હોદેદારો સામે ફરિયાદ

બરોડા ડેરીની સહઉત્પાદક દૂધ મંડળી મેરાકુવાના હોદેદારાએ 40 લાખના ગોટાળા કર્યો હોવા મામલે MLA કેતન ઇનામદાર મેદાને છે. કેતન ઇનામદાર કે જેઓ સાવલીના ધારાસભ્ય છે તેમણે15, મે ના રોજ બરોડા ડેરીના એમડી અને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી કે ડેસરની મેરાકુવા દૂધ મંડળીના હોદ્દેદારો દ્વારા સહકારી મંડળીના પાંચ મૃતક સભાસદોના બેંક ખાતામાંથી રૂપિયા 39.92 લાખની માતબર રકમની ઉચાપત કરવામાં આવી. વધુમા તેમણે લખ્યું કે હોદેદારોએ પોતાના સ્થાનનો દુરુપયોગ કરી મૃતકોના બેંક ખાતામાંથી નાણા ઉપાડયા.

પોલીસના રિપોર્ટ બાદ હોદેદારો સામે નોંધાઈ FIR

આ ઉપરાંત MLA કેતન ઇનામદારે જિલ્લા ડીએસપીને પણ સમગ્ર મામલે તપાસ કરવા પત્ર લખ્યો હતો. જેના બાદ યુદ્ધના ધોરણે પોલીસે તપાસ કરીને જિલ્લા ડીએસપીને તપાસ રિપોર્ટ સુપ્રત કર્યો હતો. પોલીસ તપાસમાં કથિત રીતે ડેસરની મેરાકુવા દૂધ મંડળીના હોદ્દેદારોએ બેન્કમાંથી ખોટી રીતે નાણાં ઉપાડયા હોવાનું સામે આવ્યું. જેના બાદ તાજેતરમાં દૂધ મંડળીના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી. ડેસર પોલીસ મથકમાં પાંચ મૃતક સભાસદોના બેંક ખાતામાંથી નાણા ઉપાડવા મામલે પ્રમુખ રાવજી પરમાર, મંત્રી વિક્રમ પરમાર સામે FIR નોંધવામાં આવી. વિક્રમે મૃતક સભાસદના નામે બનાવટી સહી કરી હતી.

MLA કેતન ઇનામદારના આક્ષેપો ખોટા

આ મામલે બે દિવસ અગાઉ વિક્રમ પરમારે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે MLA કેતન ઇનામદારના આક્ષેપો ખોટા છે. ઓડિટર દ્વારા દર વર્ષે ઓડિટ થાય છે તેમાં હિસાબો બિલકુલ ક્લિયર છે કોઈ ઉચાપત છે નહીં. મૃતક પાંચ સભાસદો ના નામે જે લેવડદેવડ મેં કરી છે તે મારા માટે નહીં મંડળીના હિત માટે કરી હતી રહી. જો કે વિક્રમ પરમારના આ ખુલાસા બાદ પણ હાલમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. હવે જોવાનું એ રહેશે કે આખરે સત્ય શું છે વિક્રમ પરમાર કહે એ કે પછી MLA કેતન ઇનામદારના આક્ષેપો સાચા છે. અંતે પોલીસ તપાસમાં આગામી સમયમાં નાણા ઉચાપત મામલે વધુ ઘટસ્ફોટ થવાની સંભાવના છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0