Vadodaraમાં ડેન્ગ્યુના વધુ 19 કેસ નોંધાયા, તાવના કારણે એક મહિલાનું મોત

વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે,વડોદરા શહેરમાં 3 દિવસમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે,સમગ્ર વાતમાં એક મહિલાને તાવ આવ્યા બાદ વોમિંટીંગ થતા તેનું મોત નિપજયું છે.મેલેરિયાના 3 કેસ અને કમળાના 4 કેસ નોંધાયા છે.ટાઈફોડના 4 અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે.વડોદરામાં ડાયેરિયાના 215 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ ડેન્ગ્યુના કેસમાં વધારો અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.કોર્પોરેશનની બેદરકારી ગણો કે સ્થાનિકોની બેદરકારી પરંતુ રોગચાળો અટકવાને બદલે વધી રહ્યો છે.કોર્પોરેશન દ્રારા સમયાંતરે દવાનો છંટકાવ તેમજ ફોંગિંગ કામગીરી કરવી આવશ્યક છે,જો દવાનો છંટકાવ કરવામાં નહી આવે તો અને ફોંગિંગ કરવામાં નહી આવે તો આવાનારા સમયમાં હજી પણ રોગચાળો વકરે તો નવાઈ નહી. ડેન્ગ્યુ એટલે શું ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Vadodaraમાં ડેન્ગ્યુના વધુ 19 કેસ નોંધાયા, તાવના કારણે એક મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે,વડોદરા શહેરમાં 3 દિવસમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે,સમગ્ર વાતમાં એક મહિલાને તાવ આવ્યા બાદ વોમિંટીંગ થતા તેનું મોત નિપજયું છે.મેલેરિયાના 3 કેસ અને કમળાના 4 કેસ નોંધાયા છે.ટાઈફોડના 4 અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે.વડોદરામાં ડાયેરિયાના 215 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં પણ ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.કોર્પોરેશનની બેદરકારી ગણો કે સ્થાનિકોની બેદરકારી પરંતુ રોગચાળો અટકવાને બદલે વધી રહ્યો છે.કોર્પોરેશન દ્રારા સમયાંતરે દવાનો છંટકાવ તેમજ ફોંગિંગ કામગીરી કરવી આવશ્યક છે,જો દવાનો છંટકાવ કરવામાં નહી આવે તો અને ફોંગિંગ કરવામાં નહી આવે તો આવાનારા સમયમાં હજી પણ રોગચાળો વકરે તો નવાઈ નહી.

ડેન્ગ્યુ એટલે શું

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.